Gujarati News

Gujarati News

News of Monday, 2nd May 2022

ભાવનગર હાઇવે પર કોન્ટ્રાક્ટરની બેદરકારીથી યુવકનો ગયો જીવ

યુવાનનું દીવથી કોડીનાર તરફ આવતા અકસ્માતે મોતઃહાઇવે વચ્ચે માટી નો ઢગલો કરાયો છે પરંતુ તેમાં બેરીકેટ કે અન્ય ચિહ્નન ન રખાયા હોવાના કારણે અકસ્માત થયો

 ગીર સોમનાથ, તા.૧ : સોમનાથ ભાવનગર ફોરટેક હાઇવેના જ્યા કોડીનારના માલગામ નજીક ગત ૨૬ એપ્રિલે રાત્રે  મનસુખ ઝહમદ સોલંકી નામનો યુવાન દીવ થી કોડીનાર તરફ આવી રહ્યો હતો તે સમયે તેનું હાઇવે પર મોત થયું છે.આ યુવાન સાથે અન્ય એક કિશોર પણ સવાર હતો.

ગીર ગઢડા ના સોનપરા ગામના યુવાન મનસુખ ભાઈ ના મોત બાદ પરિવાર જનો એ આરોપ લગાવ્યો છે કે હાઇવે પર ની લાપરવાહી ના કારને યુવાન નું મોત નીપજ્યું છે.

પરિજનોના જણાવ્યા મુજબ ફોરટેક હાઇવે નું કામ ચાલી રહ્યું છે અને હાઇવે ની વચ્ચે માટી નો ઢગલો કરવામાં આવ્યા છે પરંતુ તેમાં બેરીકેટ કે અન્ય ચિહ્નન ન રખાયા હોવાના કારણે યુવાન આ માટી ના ઢગલા પર બાઇક ચડી જતા ઉછલી ને પટકાયો અને મોત ને ભેટ્યો જેના જવાબદાર હાઇવે અધિકારી અને કોન્ટ્રાકટર છ.

(10:21 pm IST)