Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd March 2021

સૌરાષ્ટ્ર -કચ્છના અસહ્ય ઉકળાટ

રાજકોટ,તા. ૨: રાજકોટ સહિત સૌરાષ્ટ્ર -કચ્છમાં અસહય ઉકળાટનો અનુભવ થઇ રહ્યો છે અને લોકો પરસેવે રેબઝેબ થઇ રહ્યા છે.

છેલ્લા થોડા દિવસોથી મોડી રાત્રીના અને વહેલી સવારના સમયે સામાન્ય ઠંકડનો અનુભવ થઇ રહ્યો છે. અને સુર્યનારાયણના દર્શન થતાની સાથે જ હુંફાળુ વાતાવરણ છવાઇ જાય છે અને બપોરના સમયે ધોમધખતા તાપનો અનુભવ થાય છે.

સવારના સમયે લઘુતમ તાપમાન અને બપોરના સમયે મહતમ તાપમાનનો પારો ઉંચે ચડતા ગરમીનો વધુ અનુભવ થઇ રહ્યો છે.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર : શહેરનું મહતમ તાપમાન ૩૩.૫ ડિગ્રી, લઘુતમ ૧૭ ડિગ્રી, હવામાં ભેજ ૯૫ ટકા પવનની ઝડપ ૪ કિ.મી. પ્રતિ કલાક રહી હતી.

(10:47 am IST)