Gujarati News

Gujarati News

News of Thursday, 2nd February 2023

મોરબીના લખધીરપુર રોડ ઉપર કેનાલમાં અજાણ્‍યા પુરૂષની લાશ મળી

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી,તા. ૨ : મોરબીના લખધીર પુર રોડ ઉપર કેનાલમાં અજાણ્‍યા પુરૂષની લાશ મળી આવતા પોલીસે મૃતકની ઓખળ મેળવતા તપાસ હાથ ધરી છે.

મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ નર્મદા કેનાલમાં એક અજાણ્‍યા પુરૂષની તરતી લાશ મળી આવી હતી. આ બનાવની સ્‍થાનિકોએ જાણ કરતા મોરબી તાલુકા પોલીસ સ્‍ટાફ અને ફાયર બ્રિગેડ સ્‍ટાફ ઘટનાસ્‍થળે દોડી ગયો હતો અને તપાસ હાથ ધરી છે. મૃતકની ઓળખ મેળવવા અને આ બનાવનું કારણ જાણવા પોલીસે તપાસ હાથ ધરી છે.

(1:13 pm IST)