Gujarati News

Gujarati News

News of Thursday, 2nd February 2023

ચોટીલા-ડોળીયા વચ્‍ચે અકસ્‍માતમાં સસરા-જમાઇના મોત

નડીયાદ લગ્નમાં જઇ રહેલ પરિવારજનોની કાર ટ્રક સાથે અથડાતા દુર્ઘટના : ૩ ને ઇજા

તસ્‍વીરમાં કારનો બુકડો બોલી ગયેલ નજરે પડે છે. જયારે ટ્રક પણ પલ્‍ટી ખાઇ ગયો છે. (તસ્‍વીરઃ કૌશલ સવજાણી-ખંભાળીયા)

રાજકોટ, તા., રઃ  રાજકોટ-અમદાવાદ  હાઇવે ઉપર સર્જાયેલ અકસ્‍માતમાં સસરા-જમાઇના મોત થતા  અરેરાટી વ્‍યાપી ગઇ છે.

પ્રાપ્ત માહીતી મુજબ રાજકોટ-અમદાવાદ હાઇવે ઉપર ચોટીલા અને ડોળીયા બ્રાઉન્‍ડ્રી નજીક સાયલા પાસે આજે સવારે કાર નં. જીજે ૦૩ સીઇ-પર૦ર અને ટ્રક વચ્‍ચે અકસ્‍માત સર્જાયો હતો. જેમાં કારનો બુકડો બોલી ગયો હતો.

આ અકસ્‍માતમાં સસરા અને જમાઇના ઘટના સ્‍થળે જ મોત નિપજયા હતા. જયારે કારમાં સવાર ૩ ઇજાગ્રસ્‍તોને સારવાર માટે હોસ્‍પીટલમાં ખસેડવામાં આવ્‍યા છે.

કારમાં સગાસબંધીઓ નડીયાદ ખાતે લગ્ન પ્રસંગમાં જઇ રહયા હતા ત્‍યારે આ દુર્ઘટના સર્જાઇ હતી. મૃતક જમાઇ જામનગર ખાતે નોકરી કરતા હતા તેમ જાણવા મળ્‍યું છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(12:26 pm IST)