Gujarati News

Gujarati News

News of Thursday, 2nd February 2023

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ખેડૂતોની વાર્ષિક ૬૦૦૦ નવી અરજીઓ સ્વીકારો

બાબરા,તા. ૨ : પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનામાં ખેડૂતોને નવી અરજી વર્ષ ૨૦૧૯ પછી સ્વીકારવામાં આવેલ નથી. ત્યારબાદ ઘણા ખેડૂતોનું કોરોના દરમિયાન અવસાન પામેલ છે તેવા ખેડૂતોની ઇકેવાયસીના કારણે લાભ મળતો બંધ થયેલ છે. તેમની વારસાઇ નોંધ દાખલ થયેલ નવા વારસદારોના નવી અરજી સ્વીકારવામાં આવતી નથી. તો આવા ખેડૂતોને આ યોજનાનો લાભ મળી રહે તે માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના ખેડૂતોની નવી અરજી સ્વીકારવામાં તેવી મંત્રીશ્રી રાઘવજીભાઇ પટેલને ધારાસભ્ય જનકભાઇ તળાવિયા દ્વારા પત્ર લખી લેખિત રજુઆત કરવામાં આવી.

(12:22 pm IST)