Gujarati News

Gujarati News

News of Thursday, 2nd February 2023

ગોંડલ તાલુકાનાં વાસાવડના બિલીમાં આયુર્વેદિક નિદાન કેમ્‍પ યોજાયો

(અશોક પટેલ દ્વારા) મોવિયા,તા. ૨ : પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્ર વાસાવડ અને આયુર્વેદિક ડિસ્‍પેન્‍સરી વાસાવડનાં સંયુકત ઉપક્રમે એક આયુર્વેદિક કેમ્‍પ પી.એસ.સી. વાસાવડના સેજાનું ગામ બિલડી ખાતે રાખવામાં આવેલ. જેમાં તમામ બિમારીઓમાં આયુર્વેદિક ઉપચારની સારવાર આપવામાં આવેલ હતી. આ તકે રીન્‍કુ સખીયા, તોફીકભાઇ, મંજુબેન સાવલીયાબેન, પલકબેન, પરેશભાઇ તથા શાળા સ્‍ટાફ હાજર નિદાન કેમ્‍પમાં સેવા આપેલ હતી. જેમાં બિલડી ગામનાં ૭૬ જેટલા દર્દીઓને સારવાર આપવામાં આવી હતી.

સમગ્ર આયુર્વેદિક કેમ્‍પનું સંચાલન પી.એચ.સી. વાસાવડનાં સુપરવાઇઝર જી.બી.પરમાર દ્વારા કરાયું હતું.

(10:36 am IST)