Gujarati News

Gujarati News

News of Thursday, 2nd February 2023

દ્વારકામાં કાલે મુંબઇ સ્‍થિત શરદબાવાજી તથા વહુજીશ્રી (યુગલ સ્‍વરૂપ)નું આગમન થશે

જગતમંદિરે શ્રીજીના દર્શન કરશે : બરડીયા બેઠકજી તથા દ્વારકા નવી હવેલીમાં પધરામણી થશે

(વિનુભાઇ સામાણી દ્વારા) દ્વારકા તા. ૧ : મુંબઇ સ્‍થિત પૂજય ગોસ્‍વામી ૧૦૮ શ્રી શરદબાવાશ્રી તથા શ્રી વહુજીશ્રી (યુગલ સ્‍વરૂપ) કાલે તા. ૩ને શુક્રવારના રોજ પ્રથમ વખત દ્વારકા પધારનાર છે.

શ્રી વલ્લભ શુક્રવારે હવાઇમાર્ગે જામનગર એરપોર્ટ ખાતે પધારી ત્‍યાંથી સીધા જ દ્વારકા નજીક બરડીયા ખાતે શ્રી ગુંસાઇજીની બેઠકજી ખાતે પધરામણી કરશે. ત્‍યાંથી દ્વારકા ખાતે નવી હવેલીમાં પધરામણી કરશે. શ્રી વલ્લભ અને વહુજીની બંને જગ્‍યાએ વૈષ્‍ણવજનોને આશીર્વચન પાઠવશે. બાદમાં તેઓ શ્રી દ્વારકાધીશ જગતમંદિરે ઠાકોરજીના દર્શન કરનાર છે. શ્રી વલ્લભ તથા વહુજીના આગમનને અનુલક્ષીને સમગ્ર દ્વારકા ક્ષેત્રના વૈષ્‍ણવોમાં જબરો ઉત્‍સાહ જોવા મળી રહ્યો છે. (તસ્‍વીર : દિપેશ સામાણી, દ્વારકા)

(10:27 am IST)