Gujarati News

Gujarati News

News of Thursday, 2nd February 2023

મોરબીના લખધીરપુર રોડ ઉપર કેનાલમાં અજાણ્યા પુરુષની લાશ મળી.

 મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ નર્મદા કેનાલમાં એક અજાણ્યા પુરુષની તરતી લાશ મળી આવી હતી. આ બનાવની સ્થાનિકોએ જાણ કરતા મોરબી તાલુકા પોલીસ સ્ટાફ અને ફાયર બ્રિગેડ સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને તપાસ હાથ ધરી છે. પોલીસના જણાવ્યા મુજબ લખધીરપુર રોડ ઉપર કેનાલમાં એક અજાણ્યા પુરુષની લાશ તરતી હોવાની જાણ થતાં હાલ ફાયર બ્રિગેડની મદદથી લાશને બહાર કાઢવાના પ્રયાસો હાથ ધરાયા છે. બાદમાં આ મૃતકની ઓળખ મેળવવા અને આ બનાવનું કારણ જાણવા સઘન તપાસ કરવામાં આવશે

(11:58 pm IST)