Gujarati News

Gujarati News

News of Thursday, 1st December 2022

ગોંડલના નવાગામમાં શેઢા તકરારમાં વૃધ્‍ધ ઉકાભાઇ સહિત બે પર હુમલો

રાજકોટ તા. ૧: ગોંડલના નવાગામમાં રહેતાં ઉકાભાઇ ગાંડુભાઇ સરવૈયા (ઉ.વ.૭૦) તથા તેમના ભાઇના પત્‍નિ વનીતાબેન રામજીભાઇ સરવૈયા (ઉ.વ.૪૫) સાંજે પોતાની વાડીએ હતાં અને શેઢા પાસે કામ કરતાં હતાં ત્‍યારે બાજુની વાડીવાળા ભરત નાથાભાઇ પરમાર અને તેના પત્‍નિએ ઝઘડો કરી પથ્‍થરમારો કરતાં બંનેને ઇજા થતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડવામાં આવતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે ગોંડલ તાલુકા પોલીસને જાણ કરી હતી. શેઢા તકરારને કારણે આ માથાકુટ કરવામાં આવી હોવાનું રામજીભાઇએ જણાવ્‍યું હતું.

(11:47 am IST)