Gujarati News

Gujarati News

News of Thursday, 1st December 2022

માણાવદરમાં સર્વોત્તમ સેવા સંસ્‍થાન દ્વારા મોટી હવેલી વૈષ્‍ણવ સંપ્રદાયનું નવનિર્માણ થશે

માણાવદર તા. ૧ : બહારપરા મેઇન રોડ પૂરો થતાં બસ સ્‍ટેન્‍ડરોડ ઉપર વૈષ્‍ણવ સંપ્રદાય માટે બાલકૃષ્‍ણજી તથા મહાપ્રભુજીની કૃપાથી તેમજ નિ.લી.પૂ.પા. ગોસ્‍વામી ૧૦૮ શ્રીમદ્‌ વલ્લભ લાલજી મહારાજના આશીર્વાદથી પૂ.પા. ગોસ્‍વામી ૧૦૮ ગોપેશકુમાર મહારાજની આશાથી તેમજ પૂ.પા. ગોસ્‍વામી પરાગકુમારના સાનિધ્‍યમાં બસ સ્‍ટેશન રોડ બહારપરા ખાતે ‘મોટી હવેલી'માં ગુંસાઇજીના નિધિ એવં માવજી પટેલ તથા વિરજોના સેવ્‍ય  શ્રી બાલકૃષ્‍ણ પ્રભુ બિરાજશે. તેમજ પ્રભુના બિરાજવા માટે વૈષ્‍ણવ સંપ્રદાય અનુસારી વિશાળમાં મંદિર(હવેલી), આચાર્ય ભવન, સંત્‍સગ હોલ તેમજ વૈષ્‍ણવો માટે અન્‍ય વ્‍યવસ્‍થા સાથે હવેલી નિર્માણનું ખાતમુર્હુત થયું હતું. તે પ્રસંગે વૈષ્‍ણવ આચાર્ય તથા વૈષ્‍ણવજનો ઉપસ્‍થિત રહેલ. આ નિર્માણ માણાવદર માટે ગૌરવની વાત છે.

(11:46 am IST)