Gujarati News

Gujarati News

News of Thursday, 1st December 2022

જોડિયાધામમાં પુ.મોરારીબાપેના સાનિધ્‍યમાં (૪૮મો) ગીતા જયંતી મહોત્‍સવ

વાંકાનેર, તા.૧: જોડિયાધામઃ જામનગર જિલ્લાના જોડિયાધામમાં આવેલ પુ. શ્રી વિરાગમુનિ સ્‍થાપિત શ્રી રામકળષ્‍ણ સાધના ટ્રસ્‍ટ  - શ્રી ગીતા વિધાલય - ધર્મશ્રેત્ર ખાતે સંસ્‍થાની પ્રતિવાર્ષિકી પરંપરાનુસાર  (૪૮મો શ્રી ગીતા જ્‍યંતી મહોત્‍સવ ) પ. પૂજ્‍ય શ્રી મોરારીબાપુના પાવન સાનિધ્‍યમાં ઉજવાશે, શ્રી ગીતા જ્‍યંતીના યુગ પર્વે તા.૩/૧૨/૨૨ ને શનિવારના માગસરસુદ એકાદશીના રોજ સવારે  ૮:૩૦ થી  ૧૦ દરમ્‍યાન પ. પુ. શ્રી મોરારીબાપુ મંગલ ગીતા સંદેશ આપી કળતાર્થ કરશે તેમજ શ્રી ગીતા જ્‍યંતી મહોત્‍સવ દરમ્‍યાન તા.૨ અને ૩ ડિસેમ્‍બરના રોજ સવારે વિશ્વ કલ્‍યાણ એવમ હરી પ્રશનાતાથ્રે શ્રી ગીતા વિધાલયના બાળકો તથા ભાવિકો દ્વારા સામુહિકમાં હોમાત્‍મક પાઠ અનુષ્ઠાન થશે આ ઉપરાંત તા.૨/૧૨/૨૨ ના શુક્રવારના રોજ સવારે ૯: ૦૦ થી ૧૨ તથા સાંજે ૪ થી ૭ ૦૦ દરમ્‍યાન સંતો, કથાકારો દ્વારા સતસંગ પ્રવચન થશે તેમજ તા.૩/૧૨/૨૨ને શનિવારના શ્રી ગીતા જ્‍યંતીના પાવન પર્વે સવારે  ૮:૩૦ થી ૧૦:૦૦ વાગ્‍યાં દરમ્‍યાન પ. પુ મોરારીબાપુ મંગલ ગીતા સંદેશ પ્રવચન આપશે, આજરોજ તા.૧ના ગુરૂવારના જ રાત્રે પુ. મોરારીબાપુ જોડિયા પધારશે, શ્રી ગીતા જ્‍યંતીના પાવન પુણ્‍યશાળી પર્વ ઉત્‍સવમાં સર્વ ભાવિક ભક્‍તજનોને પધારવા શ્રી રામ કળષ્‍ણ સાધના ટ્રસ્‍ટ - શ્રી ગીતા વિધાલય પરિવાર જોડિયાધામ દ્વારા ભાવભર્યું નિમંત્રણ છે તા.૩ ના સવારે પૂજ્‍ય મોરારીબાપુનું ગીતા સંદેશ પ્રવચન આસ્‍થા ચેનલમાં લાઈવ પ્રસારણ થશે વધુ વિગત માટે મો.૯૪૨૬૯ ૭૯૯૯૧  ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

(10:29 am IST)