Gujarati News

Gujarati News

News of Tuesday, 1st December 2020

હલેન્ડાના વીડી વિસ્તારમાં સિંહનો પડાવઃ વાછરડીનું મારણ કર્યુઃ પંજાના નિશાન મળ્યા

રાત્રે પાણી વાળવા વાડીએ જતાં ખેડૂતોએ બે સિંહ જોયાઃ વન વિભાગને જાણ કરવામાં આવી

રાજકોટઃ સરધારના હલેન્ડાની સીમમાં સિંહે મુકામ કર્યો છે. ગત રાતે એક વાછરડીનું મારણ પણ કરતાં લોકોમાં ફફડાટ ફેલાઇ ગયો છે. ગ્રામજનો રાત્રે વાડીએ પાણી વાળવા જતાં પણ ડર અનુભવવા માંડ્યા છે. ત્રંબાથી તસ્વીરો મોકલી માહિતી આપનારા જી. એન. જાદવના કહેવા મુજબ ઉમરાળી રોડ પર આવેલી પથુભાઇ જળુની વાડીમાં વાછરડીનું મારણ થયાના વાવડ મળતાં વન વિભાગની ટીમ દોડી ગઇ હતી. ત્યાં સિંહના પંજાના નિશાનો જોવા મળ્યા છે. કેટલાક ખેડૂતોએ પણ બે સિંહ જોયા હોવાનું કહેવાય છે. સરપંચ વનરાજભાઇ ગરૈયા વન વિભાગના સંપર્કમાં રહી સિંહોને પકડી જંગલ વિસ્તારમાં લઇ જવામાં આવે તે માટે મહેનત કરી રહ્યા છે. તસ્વીરમાં મારણ અને સિંહના પંજાના નિશાન જોઇ શકાય છે.
 

(1:02 pm IST)