Gujarati News

Gujarati News

News of Sunday, 1st November 2020

મોરબીના લાલપરી પાસેના લેટીના સીરામીક પાસે યુવક્ની છરીના ઘા ઝીકી હત્યા: ત્રણ અજાણ્યા શખ્શો સામે ગુન્હો

મોરબીના લાલપર પાસેના લેટીના સિરામિકમાં મજુરીકામ કરતા લીલાબેન ઉર્ફે લલીતાબેન વરસિંગભાઈ વહનીયા ઉ.વ.૪૨ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તેના પતિની ગઈકાલે ત્રણ અજાણ્યા ઇસમોએ હત્યા કરી હતી જે ફરિયાદમાં જણાવ્યું છે કે લેટીના સિરામિક પાસેથી સાંજના સુમારે સુનીલભાઈ પોતાનું કામ પૂરું કરીને રૂમ તરફ જતા હોય ત્યારે બાઈક પર આવેલ અજાણ્યા ત્રણ શખ્શોએ તેનો કાઠલો પકડીને છરી બતાવી હતી ત્યારે સુનીલ નાસી ગયો હતો.

દરમિયાન ફરિયાદી લીલાબેનના પતિ વરસિંગભાઈ ત્યાંથી પસાર થતા હતા જેથી ત્રણ અજાણ્યા શખ્શો નાસી ગયેલા યુવાનને છોડાવવા આ યુવાન આવ્યો હોય તેવું અનુમાન લગાવી છરીનો ઘા છાતીમાં ઝીંકી દીધેલ જેથી યુવાનનું મોત નીપજ્યું હતું મોરબી તાલુકા પોલીસે ત્રણ અજાણ્યા શખ્શો  સામે હત્યાનો ગુન્હો નોંધી આરોપીઓને ઝડપી લેવા આગળની કાર્યવાહી હાથ ધરી છે

(7:24 pm IST)