Gujarati News

Gujarati News

News of Thursday, 1st October 2020

ઇણાજ ખાતે જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષસ્થાને પ્રધાનમંત્રી આદર્શ ગામ યોજના અંતર્ગત બેઠક યોજાઇ

પ્રભાસ પાટણ ,તા. ૧:જિલ્લા સેવાસદન ઇણાજ ખાતે જિલ્લા વિકાસ અધિકારીશ્રી ધર્મેન્દ્રસિંહ રહેવરના અધ્યક્ષસ્થાને પ્રધાનમંત્રી આદર્શ ગામ યોજના અંતર્ગત અધિકારીશ્રીઓની બેઠક યોજાઇ હતી.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ જણાવ્યું હતું કે,પ્રધાનમંત્રી આદર્શ ગામમાં સમાવેશ થયેલ ગામોમાં વિકાસના કામો કરવામાં આવશે. સ્થાનિક કક્ષાએથી નક્કી કરવામાં આવેલ કામોનું સ્થળ નિરિક્ષણ કરવા સબંધિત અધિકારીશ્રીઓને સુચના આપવામાં આવી હતી.

સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા પ્રધાનમંત્રી આદર્શ ગામ યોજનામાં ગીર-સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના હસનાવદર,સુત્રાપાડા તાલુકાના કડસલા અને કોડીનાર તાલુકાના નાનાવાડા ગામની પસંદગી કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત પસંદ થયેલ ગામ દીઠ રૂ. ૨૦ લાખના ખર્ચે વિકાસના કામો કરવામાં આવશે. આ તકે નાયબ નિયામક(અ.જા.ક.) એ.જે.ખાચર,સમાજ સુરક્ષા અધિકારી શ્રી મોર્યા સહિતના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(11:09 am IST)