Gujarati News

Gujarati News

News of Thursday, 1st October 2020

આટકોટમાં કોરોનાએ માલધારી પરિવારનાં કાકા-ભત્રીજાનો ભોગ લેતા નેહડામાં ઘેરો શોક

(વિજય વસાણી દ્વારા) આટકોટ, તા.૧: આટકોટમાં ટ્રાવેલ્સના વ્યવસાય સાથે સંકળાયેલા માલધારી કાકા-ભત્રીજાના કોરોનાના લીધે મોત થયા પરીવારમાં, નેહડામાં તેમજ આજુ-બાજુના માલધારી સમાજમાં ભારે શોક ફેલાઇ ગયો છે.

આટકોટ ખાતે રઘુનંદન ટ્રાવેલ્સનો વ્યવસાય કરતા હરજીભાઇ ઉર્ફે ભુરાભાઇ ઘુઘાભાઇ ઝાપડાને કોરોના હોય રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી પરંતુ સારવાર કારગત ન નિવડતા ભુરાભાઇનું પાંચ-દિવસ પહેલા મૃત્યુ થયુ હતું.

ભુરાભાઇને કોરોના પોઝીટીવ આવ્યા બાદ તેમની સારવાર ચાલી રહી હતી એ  દરમિયાન તેમના કાકા રઘુભાઇ સાર્દુળભાઇ ઝાપડાને પણ કોરોના પોઝીટીવ આવતા રાજકોટ સીવીલ હોસ્પિટલ ખાતે  સારવાર આપવામાં આવતી હતી જયાં ગઇકાલે તેમણે પણ અંતિમ શ્વાસ લેતા પરિવાર તેમજ આટકોટના માલધારી સમાજમાં ઘેરો શોક છવાઇ ગયો છે.

ઝાપડા પરિવાર યુવાન પુત્રના મોતના દુઃખમાંથી હજુ બહાર પણ આવ્યાં નહોતો ત્યાં પરિવારના મોભીના મૃત્યુથી આ પંથકના માલધારી સમાજમાં ઘેરો શોક છવાઇ ગયો છે.

ભુરાભાઇ સૌરાષ્ટ્રનાં માલધારી સમાજનમાં ભારે નામના ધરાવતા હતાં.

હાલની પરિસ્થિતિને ધ્યાને રાખી પરિવારના મોભી લધરાભાઇ અને ધુધાભાઇએ દરેકને ટેલીફોનીક સાંત્વના આપવા જણાવ્યુ છે તેમણે દરેકે રૂબરૂ ન આવવા અપિલ કરી છે.

(11:03 am IST)