Gujarati News

Gujarati News

News of Wednesday, 1st September 2021

જામજોધપુરના આંબરડી અને નંદાણા વચ્ચે ના કોઝવે ઉપર તલાટી મંત્રી ફસાયા

મામલતદાર અને ટીડીઓ સહિતના અધિકારી ઘટના સ્થળે પહોંચ્યા : સ્થાનિક લોકો અને ફાયર બ્રિગેડની ટીમ દ્વારા રેસ્ક્યુ કરી સહી સલામત બચાવ કરાયો

( દર્શન મકવાણા દ્વારા ) જામજોધપુર : જામજોધપુર તાલુકાના આંબરડી ડેરી ગામના તલાટી કમમંત્રી રૂપેશભાઈ સુથાર આજરોજ 6:45 કલાકે આંબરડી ડેરી થી પોતાની કાર સાથે ધ્રાફા તરફ જતા રસ્તામાં આવતી નદીમાં કાર સાથે તણાઈ ગયેલ હતા. ઘટનાની જાણ થતાં મામલતદાર  અને ટીડીઓ સહિતના અધિકારી  ઘટના સ્થળે પહોંચ્યા હતા. સ્થાનિક ગામનાં લોકો અને ફાયર બ્રિગેડની ટીમ દ્વારા રેસ્ક્યુ કરી તેમને સહી સલામત બચાવ કરવામાં આવ્યો છે તેમની કાર તણાઈ ગયેલ છે તેમ જાણવા મળે છે

(10:47 pm IST)