Gujarati News

Gujarati News

News of Wednesday, 1st September 2021

ટંકારાના વીરપર ગામે ગળેફાસો ખાઈને યુવાનનો આપઘાત

ટંકારા તાલુકાના વીરપર ગામનો યુવાન પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોય જે બનાવને પગલે પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

વીરપર ગામના રહેવાસી હિરેનભાઈ બાબુભાઈ ચાવડા (ઉ.વ.૨૯) નામનો યુવાન ગત તા. ૩૧ ના પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે જે આપઘાતના બનાવની જાણ થતા ટંકારા પોલીસે મૃતદેહ ટંકારા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડ્યો છે અને બનાવની નોંધ કરી યુવાને ક્યાં કારણોસર આપઘાત કર્યો તે દિશામાં વધુ તપાસ ચલાવી છે

(2:45 pm IST)