Gujarati News

Gujarati News

News of Wednesday, 1st September 2021

ગીર સોમનાથ જીલ્લામાં મેઘમહેર : સવારે ૪ કલાકમાં તાલાલામાં ૬ ઇંચ : ઉનામાં ૪ ઇંચ જળ બંબાકાર : વરસાદ ચાલુ

રાજકોટ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં સર્વત્ર મેઘરાજા ગઇકાલથી મહેરબાન થયા છે. ગઇ કાલે સવારના ૬ થી આજે સવાર સુધીમાં ૬ વાગ્યા સુધીમાં તાલાલા ગીરમાં દોઢ ઇંચ, ઉના અને વેરાવળમાં એક ઇંચ તથા કોડીનાર, ગીરગઢડા, સુત્રાપાડામાં ઝાપટાથી અડધો ઇંચ વરસાદ પડ્યો હતો.

જ્યારે આજે સવારના ૬ વાગ્યાથી તાલાલાગીરમાં મેઘરાજાએ જમાવટ કરી છે. તેમ તાલાલાના પ્રતિનિધિ દિપક તન્નાના અહેવાલમાં જણાવ્યું છે.

આજે સવારના ૬ થી ૧૦ વાગ્યા સુધીમાં તાલાલામાં ૬ ઇંચ, ઉનામાં ૪ ઇંચ, ગીર ગઢડામાં સાડા ત્રણ ઇંચ તથા વેરાવળ અને સુત્રાપાડામાં પોણા ૨ ઇંચ વરસાદ પડ્યો છે. જ્યારે કોડીનારમાં અડધો ઇંચ વરસાદ પડ્યો હતો. 

(12:24 pm IST)