Gujarati News

Gujarati News

News of Saturday, 1st August 2020

કચ્છમાં કોરોનાના કહેર વચ્ચે જિલ્લાની કોવિડ ૧૯ હોસ્પિટલની તબીબી સુવિધાઓ સામે વેધક સવાલો

કોંગી અગ્રણી રવિન્દ્ર ત્રવાડીએ લોકોના હિતમાં તંત્ર સમક્ષ અદાણી જીકે જનરલ હોસ્પિટલમાં કોરોનાની જીવનરક્ષક દવાઓ, ઇન્જેકશનો, વેન્ટીલેટરની સુવિધાઓ સંદર્ભે માહિતી જાહેર કરવા કરી માંગ

ભુજ,તા.૧: બાળકોના મોતથી લઇ એમ.સી.આઇ. ની ચેકીંગ દરમ્યાન ખોટી સુવિધા દર્શાવવાના મામલે ચર્ચામાં રહેતી અદાણી હોસ્પિટલ હવે કોરોનાની સારવારના મામલે ચર્ચામાં આવી છે. આમ,તો કચ્છમાં જયારે કોરોના કેસોની સંખ્યા ઓછી હતી અને મૃત્યુની સંખ્યાનો આંક પણ ઓછો હતો અને જિલ્લાની કોવિડ હોસ્પિટલ તરીકે તેની સેવાઓ અંગે જાતે જ વાહવાહી કરાઈ હતી. પરંતુ હવે, કોરોનાનો મૃત્યુદર વધતાજ હોસ્પિટલની સુવિધાઓ અને સજ્જતા સામે સવાલો ઉભા થયા છે. જેમાં જીવનરક્ષક ઇન્જેકશન, દવાના જથ્થા અને વેન્ટીલેટર જેવા સાધનોના દાવા સામે કચ્છ જીલ્લા કોંગ્રેસના આગેવાન રવિન્દ્ર ત્રવાડીએ વેધક સવાલો ઉભા કરી ઉચ્ચ સ્તરે આ મામલાની તપાસ થાય તેવી માંગ કરી છે.

હોસ્પિટલમાંથી દર્દી ભાગી ગયો, મૃતકોના પરિવારજનોના હોસ્પિટલ સામે બેદરકારીના આક્ષેપ

આ પહેલા પણ જયારે કોરોનાથી દર્દીઓના મોતની સંખ્યા વધી ત્યારે પણ કોંગ્રેસના યુવા નેતા રવિન્દ્ર ત્રવાડીએ હોસ્પિટલમાં પુરતો દવાનો જથ્થો, વેન્ટીલેટર સહિત, તબીબી સેવાના મુદ્દે અનેક સવાલો કરી તંત્ર સમક્ષ જવાબ માંગ્યો હતો. ખાસ કરીને કોવિડની સારવાર સંદર્ભે નિષ્ણાત તબીબોની સેવાઓ અંગે હોસ્પિટલ મેનેજમેન્ટ પાસે જવાબો માંગ્યા હતા. પરંતુ માત્ર આભાસી વાહવાહી મેળવી અંદર પોલમપોલ ચલાવાતી રહી. ફરી એક પત્ર દ્વારા કોંગ્રેસના અગ્રણી રવિન્દ્ર ત્રવાડીએ દરમ્યાન અદાણી સંચાલીત કચ્છની મુખ્ય કોવિડ હોસ્પિટલમાં કોના ખર્ચે અને શું સુવિધાઓ વિકસાવાઇ તેની માહિતી આપવા સાથે ન્યાયીક તપાસ કરવાની માંગ કરી છે. તેમ જ કોરોનાના વધતા જતાં દર્દીઓની સારવાર માટે વેન્ટીલેટર, હોસ્પિટલ સ્ટાફની સંખ્યા, દવાઓનો પુરતો જથ્થો છે કે નહી? તેવા વેધક સવાલો કર્યા છે. હાલમાં જ કોવિડ પોઝીટીવ દર્દી ભાગી જવા મામલે પણ તેઓએ સુરક્ષા પર સવાલ ઉઠાવતા અપુરતી સુવિધાથી દર્દી ભાગ્યો હોવાનો આક્ષેપ કર્યો છે.

કોરોના મહામારી વચ્ચે હોસ્પિટલમાં સુવિધા વધારવાના ઉદ્દધાટનના સમાચારો સહિત બેદરકારીથી મોત અને અપુરતી દવાઓના મુદ્દે અદાણી મેનેજમેન્ટ ચર્ચામાં તો રહ્યુ જ છે. પરંતુ હવે પરિસ્થિતી ગંભીર બનતા તેનો વિરોધ શરૂ થયો છે. ભલે રાજકીય પાર્ટીએ આ સવાલો ઉભા કર્યા છે. પરંતુ તંત્ર દ્વારા યોગ્ય ખુલાસો અને સરકાર દ્વારા કોવિડ સારવારની સુવિધાઓ અંગે ન્યાયીક તપાસ કચ્છના લોકોના આરોગ્યના હિતમાં થાય તે જરૂરી છે.(

(11:50 am IST)