Gujarati News

Gujarati News

News of Friday, 1st July 2022

જસદણમાં ઇસ્‍કોન મંદિર દ્વારા શનિવારે જગન્નાથ ભગવાનની રથયાત્રા યોજાશે

(ધર્મેશ કલ્‍યાણી દ્વારા) જસદણ,તા. ૧ : ઇસ્‍કોન મંદિર જસદણ દ્વારા ભગવાન જગન્નાથજીની રથયાત્રા તા.  ૨ જુલાઈને શનિવારે નીકળશે. ઇસ્‍કોન મંદિર જસદણ દ્વારા સૌપ્રથમ વખત રથયાત્રાનું આયોજન કરવામાં આવ્‍યું છે. આ રથયાત્રા તારીખ ૨ જુલાઈને શનિવારે સાંજે ચાર વાગે ચિતાલિયા રોડ ઉપર હરે કળષ્‍ણ મંદિરથી  શરૂ થઈને દામજી નગર, ગંગા ભુવન, પંચમુખી હનુમાન, કૈલાશ નગર, ગીતા નગર, મોતીચોક, શ્રીનાથજી ચોક, વેકરીયા ચોક, બજરંગ નગર, સરદાર ચોક થઈને હરે કળષ્‍ણ મંદિરે પરત પહોંચશે. સાંજે રથયાત્રા હરે કળષ્‍ણ મંદિરે પરત પહોંચ્‍યા બાદ ૮:૩૦ કલાકે મહા આરતી યોજાશે. તેમજ ૫૬ ભોગ અને પ્રસાદ વિતરણ યોજાશે.  ૯ બાય ૧૨ ફૂટ પહોળા અને ૧૫ ફૂટ ઊંચા ભવ્‍ય રથમાં ભગવાન જગન્નાથજી બિરાજમાન થશે. વિવિધ ધાર્મિક મહોત્‍સવ નો લાભ લેવા મંદિરના વ્‍યવસ્‍થાપક ઘનશ્‍યામદાસ દ્વારા અનુરોધ કરવામાં આવ્‍યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે જસદણના ઇસ્‍કોન ગ્રુપના હરેકળષ્‍ણ મંદિરે દર ગુરુવારે સાપ્તાહિક ભાગવત ગીતા -પ્રવચન, કીર્તન વગેરે યોજાઇ છે તથા બાળકો માટે દર રવિવારે સાંજે છ થી સાત પ્રહલાદ પાઠશાળા ચાલે છે મહિલાઓ માટે દર બુધવારે રાત્રિ સભા યોજાય છે.

(12:53 pm IST)