Gujarati News

Gujarati News

News of Friday, 1st July 2022

મોરબી જલારામ મંદિરમાં સોમવારે વિનામૂલ્‍યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્‍પ યોજાશે

(પ્રવિણ વ્‍યાસ દ્વારા)મોરબી,તા. ૧ : આંખની હોસ્‍પીટલ શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્‍પીટલ-રાજકોટ, શ્રી જલારામ પ્રાર્થના મંદિર-મોરબી તથા આંતરરાષ્ટ્રીય હિન્‍દુ પરિષદ-મોરબી દ્વારા સર્વજ્ઞાતિય વિનામુલ્‍યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્‍પ દર મહીના ની ૪ તારીખે શહેરના શ્રી જલારામ પ્રાર્થના મંદિર, અયોધ્‍યાપુરી રોડ, મોરબી ખાતે યોજાશે.

જે અંતર્ગત સ્‍વ.હસમુખલાલ વલ્લભદાસ ભોજાણી પરિવાર ના સગયોગ થી આગામી તા.૪-૭-૨૦૨૨ સોમવાર ના રોજ સવારે ૯ થી ૧ કલાક દરમિયાન વિનામુલ્‍યે કેમ્‍પ યોજાશે. જેમા શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્‍પીટલના ડો.બળવંતભાઈ, ડો. અલ્‍કેશભાઈ ખેરડીયા, હેમુભાઈ પરમાર, આદમભાઈ, નિલેશભાઈ રાઠોડ દ્વારા આંખના દર્દીઓની તપાસ કરવામા આવશે તેમજ અત્‍યાધુનિક ફેકો મશીન દ્વારા ટાંકા વગરનુ સારામા સારા સોફટ ફોલ્‍ડેબલ લેન્‍સ (નેત્ર મણી) સાથે વિનામુલ્‍યે ઓપરેશન કરવામા આવશે.

(10:30 am IST)