Gujarati News

Gujarati News

News of Wednesday, 1st February 2023

સોમનાથ મહાદેવ મંદિરે જાન્‍યુઆરીમાં ૬ લાખથી વધુ દર્શનાર્થીઓએ ભગવાન શિવના દર્શન કર્યા

(મીનાક્ષી ભાસ્‍કર વૈદ્ય દ્વારા) પ્રભાસ પાટણ,તા. ૧ : વિશ્વ પ્રસિધ્‍ધ સોમનાથ મહાદેવ મંદિર હવે અન્‍ય સુપ્રસિધ્‍ધ તીર્થોની જેમ બારેય માસ દર્શનાર્થી-પ્રવાસીઓથી છલકાતુ રહે છે.

જાન્‍યુ. ૨૦૨૩માં ૬,૦૭,૩૫૨ દર્શનાર્થીઓએ ભગવાન ભોલાનાથના દર્શન કરી ધન્‍ય બન્‍યા. જે વર્ષ ૨૦૨૧ના જાન્‍યુ.માં ૪,૩૭,૭૪૭ અને વર્ષ ૨૦૨૨માં ૩,૦૧,૩૧૩ દર્શનાર્થીઓએ દર્શન કર્યા હતા. દિનપ્રતિદિન યાત્રિકો-પ્રવાસીઓની સંખ્‍યામાં થઇ રહેલા વધારાને અનુરૂપ સોમનાથ ટ્રસ્‍ટ સચિવ યોગેન્‍દ્ર દેસાઇ, તેમજ જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા, આગામી મહાશિવરાત્રી અંગે તડામાર તૈયારીઓ કરી રહ્યા છે.

(12:01 pm IST)