કિશોરભાઇ કોરડીયાએ અન્નજળ ત્યાગી જીવદયા માટે રૂ. ૧૦,ર૧,૯ર૩ એકત્ર કર્યા
રાજકોટ : દર વર્ષ મુજબ જીવદયા પ્રેમી કિશોરભાઇ કોરડીયાએ મકરસંક્રાંતિના પૂણ્યપદે મુંગાજીવ માટે ફાળો એકત્ર કરવા અન્નનળ ત્યાગી મંડપમાં બેઠક જમાવી હતી. પૂર્વ કેન્દ્રીય મંત્રી શ્રી વલ્લભભાઇ કથીરીયા, ગુજરાત સરકારના પૂર્વ મંત્રી શ્રી ગોવિંદભાઇ પટેલ, મેયર જૈમનભાઇ ઉપાધ્યાય,ડે.મેયર દર્શિતાબેન શાહ, રાષ્ટ્રીય સંત પૂજય ગુરૂદેવ નમ્રમુનિ મહારાના ભકતજનો અર્હમ ગ્રુપના વડા પરાગભાઇ તથા ભાવેશભાઇ શેઠ તથા મોદી સ્કુલના ચેરમેન રશ્મીકાંતભાઇ મોદી, ગ્રેટર ચેમ્બરના પ્રમુખ ધનસુખભાઇ વોરા,ઉપપ્રમુખરાજુભાઇ દોશી, કાંતિભાઇજાવીયા,હર્ષદભાઇ વિઠ્ઠલાણી, ડેરી ઉદ્યોગના પ્રમુખવસંતભાઇ લીંબાસયા, ઉદ્યોગ જગતના વડા ઉપેનભાઇ મોદી, દાદાવાડીના પ્રમુખ જીતુભાઇ ચા-વાળા, પ્લોટ દેરાસરના પ્રવિણભાઇ, પંચવટી દેરાસરના પ્રફુલ્લભાઇ દોશી, મણીાયર દેરાસરના પંકજભાઇ કોઠારી, પૂજય કાંતાબાઇ મહાસતાજીના ભકતજનો શ્રી નરેન્દ્રભાઇ મહેતા, રોયલ પાર્કના પ્રમુખ સી.એમ. શેઠ, વેસ્ટના પ્રમુખ કિરીટભાઇ શેઠ, ઇન્દ્રપ્રસ્થ પાસેના મંત્રી નવીનભાઇ બાટવીયા, જવન કોમ. બેંકના ચેરમેન ભગવાનજીભાઇ પરસાણા, ધરતી કો.ઓપ. બેન્કના એમ.ડી. રાજુભાઇ ભંડેરી, તેમજ ખાટકી મુસ્લીમ સમાજના પ્રમુખ હબીબભાઇ ગનીભાઇ કટારીયા, પ્રવીણભાઇ કોઠારી, જામનગરથી જીતુભાઇ મહેતા, કરૂણા ફાઉન્ડેશનના ટ્રસ્ટી ગીરીશભાઇ શાહ, જેતીભાઇ પરમા, મારવાડી સમાજના જીતુભાઇ મારવાડી, પાર્શ્વનાથ કો.ઓપ. બેન્કના ચેરમેન પીયુષભાઇ મહેતા, આર.ટી.ઓ.વાળા રાજુભાઇ મહેતા તેમજ પાંજરાપોળના તમામ મોભીએ મુલાકાત લીધી હતી. આ જીવદયાના કિશોર કોરડીયાના યજ્ઞમાં જૈન સમાજ ઇતર જ્ઞાતિ સમાજ તમામ મહાનુભાવો હાજર રહીને કિશોર કોરડીયાના અન્ન જળ ત્યાગના આ ‘‘ટહેલ''ને ખરેખર વધાવી લીધી હતી અને રાજકોટની પ્રજાએ ધારેલ રકમ કરતા ચાર ગણી રૂ. ૧૦,ર૧,૯૮૩ રકમ કરી આપી હતી.