રાજકોટ
News of Saturday, 31st October 2020

કાળીપાટ ડબલ મર્ડર કેસમાં ૪ શખ્સોના જામીન ફગાવાયા

નવ વર્ષ પહેલા નજીવી બાબતે બે યુવકની બે મહિલા સહિત ૧૦ શખ્સોએ હત્યા નિપજવી 'તી

રાજકોટઃ તા.૩૧, રાજકોટ તાલુકાના કાળીપાટ ગામે નવ વર્ષ પૂર્વ નજીવી બાબતે ખેલાયેલા ધીગણા માં થયેલા ડબલ મર્ડર કેસમાં ચાર શખ્સોની  જામીન અરજી અદાલતે ફગાવી દીધી છે.

વધુ વિગત મુજબ શહેરના ભાગોળે કાળીપાટ ગામે ગત તા.૧૦-૭-૧૧ના રોજ માતાજીના મઢ પાસે તાવા પ્રસાદમાં એકઠા થયેલા દરબારોએ કોળી પરિવારના કિશોરને ગાળો બોલવાનીના પાડવાના મુદ્દે ખેલાયેલા ધિંગાણામાં વિશ્વજીતસિંહ જાડેજા અને મહેન્દ્રસિંહ જાડેજાનું મોત નિપજતા બનાવ ડબલ મર્ડરમાં પલ્ટાયો હતો.

તાલુકા પોલીસ મથકમાં સત્યજીતસિંહ અનિત્નધ્ધસિંહ જાડેજાએ છગન રધા દુધરેજીયા, ધીત્ન રધા દુધરેજીયા, સુરેશ રધા દુધરેજીયા, દિનેશ રધા દુધરેજીયા, જેન્તી પ્રેમજી દુધરેજીયા, સવજી દેવશી દુધરેજીયા, બાબુ ઉકા દુધરેજીયા અને બે મહિલા સહિત ૧૦ શખ્સો સામે હત્યા અને હત્યાની કોશિષનો ગુંનો નોંધી તપાસની ધરપકડ કરી તપાશ પૂર્ણ થતા જેલ હવાલે કર્યા હતા.

હાલ લાંબા સમયથી જેલ હવાલે રહેલા છગન, ધીરૂ,સુરેશઅને દિનેશ દુધરેજીયાએ જામીન અરજી કરી હતી જેમાં બંન્ને પક્ષોની લેખિત મૌખિત દલીલ બાદ મુળ ફરિયાદના વકિલ રુપ્રજસિંહઅને સ્પે. પીપી અનિલભાઇ દેશાઇએ કરેલી ધારદાર દલીલ તેમજ કેસની સુનાવણી અંતિમ તબકકામાં છે જો જામીન આપવામાં આવશે તો સાક્ષીને ફોડવાના અને પુરાવાનો નાશ કરવામાં આવશે. તેવી દલીલ ધ્યાને લઇ સેશન્સ જજ આર. એલ. ઠકકર એ ચારેય શખ્સોની  જામીન અરજી નામંજૂર કરી છે.

મુળ ફરિયાદ વતી એડવોકેટ તરીકે ત્નરૂપરાજસિંહ પરમાર, અજીતભાઇ પરમાર અને ભરતભાઇ સોમાણી રોકાયા છે.

(2:33 pm IST)