News of Friday, 30th July 2021
હરીપ્રસાદજી સ્વામીના અક્ષરવાસથી મોટી ખોટ વર્તાશે : ગોવિંદભાઇ
રાજકોટ તા. ૩૦ : હરીપ્રસાદ સ્વામીના અક્ષરવાસથી સ્વામીનારાયણ સંપ્રદાયના એક જુદી જ ભાત પાડનાર અને આત્મિય સમાજના નિર્માણમાં મહત્વની ભુમિકા ભજવનારની વિદાયથી મોટી ખોટી પડી હોવાનું રાજકોટના ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલે શોકાંજલી પાઠવતા જણાવેલ છે.
તેઓએ જણાવેલ કે એક નબળી પડેલ સંસ્થાને દત્તક લઇને કાલાવડ રોડ પર એક ભવ્ય યુનિવર્સિટીનું નિર્માણ કરવામાં અને આ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને અભ્યાસની સાથે સંસ્કારનું ભાથુ પણ પીરસી એ રીતે સુસંસ્કારી રાષ્ટ્ર નિર્માણમાં તેમનું યોગદાન રહ્યુ છે.
(3:59 pm IST)