જન્માષ્ટમીમાં કૃષ્ણ જન્મોત્સવના વધામણાઃ મટકી ફોડ ઉત્સવ કરવાની છૂટ આપો
મુખ્યમંત્રીને રજૂઆત કરતાં કોંગી અગ્રણી રણજીત મુંધવા
રાજકોટ તા. ર૯ :.. હાલની કોરોનાની મહામારીને લઇ સરકાર દ્વારા ગાઇડ લાઇન જાહેર કરવામાં આવેલ છે જેમાં જાહેર સ્થળે લોકોની ભીડ ના કરવી માસ્ક સોશીયલ ડીસ્ટન્સ જાળવવુ આ બધી ગાઇડ લાઇનને ગુજરાતની પ્રજા સારી રીતે અમલ કરી રહી છે અને કોરોનોના કેસમાં સતત ઘટાડો થતા મુખ્યમંત્રી અધ્યક્ષ સ્થાનેથી ઘણી બધી છૂટછાટ આપવામાં આવી રહી છે જે ને ગુજરાતની જનતા આવકારી રહી છે. ત્યારે આવનારા તહેવારોમાં મહંદ અંશે જે છૂટછાટ આપી એમાં ગણેશત્સોવની ઉજવણી કરવાની જે છૂટ આપી એ આવકાર લાયક છે સાથે જગતના આધિપતી ભગવાન શ્રી કૃષ્ણ કનૈયાના જન્મના વધામણા કોરોના ની ગાઇડ લાઇન મુજબ કરવા દેવામાં આવે એવી રજૂઆત રાજકોટ શહેર કોંગ્રેસ સેવાદળનાં રણજીત મુંધવાએ ત્થા ભીખાભાઇ પડસારયા દ્વારા રાજયનાં મુખ્યમંત્રીને પત્ર પાઠવીને કરી છે.