રાજકોટ
News of Friday, 30th July 2021

''યાદો કાં કારવાં'': શનિવારે ઇવનીંગ પોસ્ટ ખાતે ફિલ્મી ગીતોનો કરાઓકે ટ્રેક શો

રાજકોટઃ કોઇપણ કલાને લગતા કલાકારોનાં ઉત્થાન માટે સતત કાર્યરત રહેતી અને હર હંમેશ સંગીતક્ષેત્રે એક નવી જ સ્ક્રીપ્ટ લઇને લોકો સમક્ષ આવતી સંસ્થા ''સુર સફર ઇવેંટસ-રાજકોટ''ના ચીફ ઓર્ગેનાઇઝર-સીંગર-એન્કર અજય (રાજ) દવે તથા સહ આયોજક કિશોરસિંહજી જેઠવા વધુ એક વખત સંગીતપ્રિય જનતા સમક્ષ રૂબરૂ થઇ રહ્યા છે. તા. ૩૧ના શનિવારે સાંજે ઇવનીંગ પોસ્ટ ખાતે ફિલ્મી ગીતોનો કરાઓકે ટ્રેક શો આયોજીત કરેલ છે. મ્યુ. કપોઝર શ્રી લલીતભાઇ ત્રીવેદીનાં માર્ગદર્શન હેઠળ તૈયાર થયેલ પ્રતિભાશાળી કલાકારો સુર સફર ઇવેંટસનાં ચીફ ઓર્ગેનાઇઝર અજય (રાજ) દવે, હર્ષિત જોગીયા, હિતેષ ભટ્ટ, વીપુલ દવે, ચિંતન દવે, શ્રીમતી વર્ષા ઠાકર, શ્રીમતી કોમલબા જાડેજા, શ્રીમતી જયોતિ ભટ્ટ દ્વારા કારાઓકે ટ્રેક પર જુના-નવા ગીતો રજૂ થશે. તા. ૩૧મી એ મહાન ગાયક મહમદ રફી પુણ્યતીથી હોય, શકય તેટલા ગીતો રફી સાહેબનાં સમાવવાની કોશીષ કરી છે. આ કાર્યક્રમને સફળ બનાવવા અજય (રાજ) દવે તથા સમગ્ર કાર્યક્રમની વ્યવસ્થા શ્રીમાન કિશોરસિંહજી જેઠવા અને તેમની ટીમ જહેમત ઉઠાવી રહી છે. 

(3:15 pm IST)