રાજકોટ
News of Tuesday, 31st January 2023

‘‘શિવોપાસના-શિવઆરાધના'' શાષાીય નૃત્‍ય વંદનાની જમાવટ

નૃતિ સ્‍કૂલ ઓફ કલાસિકલ ડાન્‍સીસ એન્‍ડ પરફોમીંગ આર્ટસ આયોજીત : શ્રીમતી ભૈરવી હેંમત દ્વારા કાર્યક્રમની સુંદર કોરીયોગ્રાફી અને નૃત્‍ય નિદર્શન

અમદાવાદમાં નળતિ સ્‍કુલ ઓફ ક્‍લાસિકલ ડાન્‍સીસ એન્‍ડ પરફોર્મીંગ આર્ટસ દ્વારા યોજાયેલ ‘‘શિવોપાસના-શિવ આરાધના'' કાર્યક્રમ પ્રસંગે ઉપસ્‍થિત મહાનુભાવો અને રજુ થયેલ કૃતિની તસ્‍વીર

રાજકોટ,તા.૩૧ : નળતિ સ્‍કુલ ઓફ ક્‍લાસિકલ ડાન્‍સીસ એન્‍ડ પરફોર્મીંગ આર્ટસ દ્વારા  દિનેશ હોલ, આશ્રમ રોડ અમદાવાદ ખાતે  ‘‘આરોહણ્‍ય'', ‘‘શિવોપાસના-શિવ આરાધના'' શાષાીય નળત્‍ય વંદના અંગેનો એક અનોખો અદભુત સાંસ્‍કળતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ.

 સાંસ્‍ક્રુતિક કાર્યક્રમને પ્રોત્‍સાહન આપવા માટે મુખ્‍ય મહેમાન તરીકે  સ્‍વામી   પરમાત્‍માનંદ સરસ્‍વતી, શિવાનંદ આશ્રમ અમદાવાદ, અમદાવાદના મેયર   કિરીટભાઇ પરમાર, દુરદર્શનના ડેપ્‍યુટી ડાયરેકટર  ઉત્‍સવ પરમાર, પુર્વ મુખ્‍ય ચીફ સેક્રેટરી પી.કે. લહેરી તથા અન્‍ય નામાંકિત અને સામાજિક અગ્રણીઓએ બહોળી સંખ્‍યામાં હાજરી આપેલ હતી.

 પ્રોગ્રામમાં નળતિ સંસ્‍થાની વિદ્યાર્થીની દેવયાની આચાર્ય દ્વારા ‘‘શિવોપાસના-શિવ આરાધના'' ઉપર આધારિત ખુબ જ સુંદર ભરતનાટયમ સ્‍ટાઇલમાં શાષાીય નળત્‍ય રજુ કરવામાં આવેલ હતું.

કાર્યક્રમની કોરીયોગ્રાફી, નળત્‍ય નિર્દેશન નળતિ સંસ્‍થાનાં ડાયરેકટર શ્રીમતી ભૈરવી હેમંત દ્વારા કરવામાં આવી હતી. આ સાંસ્‍કળતિક કાર્યક્રમમાં અનિલભાઇ સોલંકી, ટેકિનકલ ડાયરેકટર, ટેક્‍વાન્‍ડો ફેડરેશન ઓફ  ગુજરાતનું તેઓનાં માર્શલ સ્‍પોર્ટસમાં વિશિષ્ટ યોગદાન બદલ મહાનુભાવના હસ્‍તે સન્‍માન કરવામાં આવ્‍યું હતું તથા આ સુંદર કાર્યક્રમને શહેરનાં રાજ્‍યના, દેશનાં અને વિદેશનાં અનેક વધુ નાગરિકોએ હાજર રહી માણ્‍યો હતો.

(3:39 pm IST)