રાજકોટ
News of Monday, 30th November 2020

યુવરાજનગર પાસે બોલેરોએ રીક્ષાને ઠોકર મારતા રાજુભાઇ સનુરાનું મોત

રાજકોટ,તા.૩૦ : શહેરના યુવરાજનગર નજીક રોંગ સાઇડમાં આવતા બોલેરાના ચાલકે રીક્ષાને ઠોકર મારતા રીક્ષા ચાલકનું સારવાર દરમ્યાન મોત નિપજ્યુ હતું.

મળતી વિગત મુજબ આણંદપર નાવગામ મામાળી સ્લમ કવાર્ટરનં. ૨૭૫માં રહેતા રાજુભાઇ ગોગનભાઇ સુનરા (ઉવ.૫૦) ગઇકાલે પોતાની જી.જે. ૧૧ એકસ-૪૭૪૩ નંબરની રીક્ષા લઇને જતા હતા ત્યારે યુવરાજનગર નજીક રોંગસાઇડમાં આવતા બોલેરોના ચાલકે પૂર ઝડપે આવી રીક્ષાને ઠોકર મારતા રાજુભાઇ ફંગોળાઇ જતા તેને માથાના ભાગે ગંભીર ઇજા થઇ હતી બનાવ બનતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા. બાદ રાજુભાઇને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાતા તેનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે આજીડેમ પોલીસે બોલેરાના ચાલક વિરૂધ્ધ ગુનો દાખલ કરી પીએસઆઇ એમ.ડી. વાળાએ તપાસ હાથધરી છે.

(3:46 pm IST)