અરવિંદભાઇ રૈયાણીની ઉપસ્થિતીમાં રોજગાર એનાયત પત્ર અને એપ્રેન્ટિસ કરારપત્ર વિતરણ
રાજકોટ જીલ્લા કક્ષાનો તેમજ મહાનગર કક્ષાનો એમ બે કાર્યક્રમો યોજાયા : રાજકોટ : રાજકોટ ખાતે રાજ્ય મંત્રી અરવિંદભાઈ રૈયાણી, મેયર ડૉ પ્રદિપભાઈ ડવ, ડેપ્યુટી મેયર ડૉ દર્શિતાબેન શાહ, મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા, નાયબ કમિશનર આશિષ કુમાર ઉપસ્થિત રહ્યાં હતાં. જ્યારે ગોંડલ ખાતેના કાર્યક્રમમાં જીલ્લા પંચાયત પ્રમુખ ભૂપતભાઇ બોદર, નગરપાલિકા ગોંડલ ના પ્રમુખ ભાવનાબેન રૈયાણી, પ્રાંત અધિકારીશ્રી બાટી ઉપસ્થિત રહ્યાં હતાં.બંન્ને કાર્યક્રમમાં રાજકોટ જીલ્લા ના છેલ્લા ત્રણ માસમાં રોજગારી કે એપ્રેન્ટીશ તરિકે જોડાયેલા કુલ ૩૦૦ ઉમેદવારોને સ્થળ ઉપરથી એનાયત પત્ર અપાયેલા હતાં. બંન્ને કાર્યક્રમનું આયોજન આઈટીઆઈ અને મદદનીશ નિયામક કચેરીની ટીમે જીલ્લા વહિવટી તંત્ર દ્વારા કરેલ હતું. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ૧૧ જેટલાં ઉમેદવારો ને અને આરટીઓ કચેરી દ્વારા ૩ ઉમેદવારો ને સ્થળ ઉપર કાયમી નિમણૂક ના હૂકમો આપવામાં આવેલ હતા. કોટક સાયન્સ કોલેજ ના કેમ્પસ ઇન્ટરવ્યૂ માં પસંદ થયેલા ૬ ઉમેદવારો ને એનાયતપત્ર આપવામાં આવેલા હતા.