અષાઢી બીજઃ કચ્છી નૂતન વર્ષઃ કાલે કચ્છી લોહાણા જ્ઞાતિજનો માટે મહાપ્રસાદ
રાજકોટ કચ્છી લોહાણા સમાજ દ્વારા ૧૭ મીના સરસ્વતી સન્માન સમારોહ
રાજકોટઃ શ્રી રાજકોટ કચ્છી લોહાણા સમાજ દ્વારા અષાઢી બીજ (કચ્છી નૂતન વર્ષ) નિમિતે રાજકોટમાં વસતા સમસ્ત કચ્છી લોહાણા સમાજ માટે સાંજે ૬:૩૦ વાગે મહાઆરતી ત્યારબાદ સાંજે ૭ કલાકે સહપરીવાર મહાપ્રસાદનું આયોજન તા. ૧ને શુક્રવારના રોજ શ્રી કચ્છી લોહાણા દરીયા સ્થાન, મહાશકિત પાર્ક, મોરબી રોડ, જકાતનાકા પહેલા રાજકોટ ખાતે આયોજન કરવામાં આવેલ છે.
કચ્છી લોહાણા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે તા.૧૭ના રોજ સરસ્વતી સન્માન સમારોહનું પણ આયોજન કરવામા આવેલ છે. તા.૧ ના મહાપ્રસાદના સ્થળે માર્કશીટની ટુ કોપી તેમજ માર્કશીટની પાછળ પુરુ સરનામુ અને મોબાઇલ નંબર સાથે તા. ૧૦ જૂલાઇ સુધીમાં માર્કશીટની કોપી પહોંચાડવાની રહેશે.
(૧)બાદલ સોનપાલ, ૨૦૮ આલ્ફા પ્લસ, રૈયા ટેલિફોન એકસચેન્જ,૧૫૦ ફુટ રીંગ રોડ, ૯૨૨૮૨૯૧૮૧૮(૨) ભગતભાઇ સન્સ,(ભગતભાઇ) સદર બજાર, સત્ય વિજય આઇસ્ક્રીમ સામે, ૯૮૭૯૯૧૪૪૩૦ (૩) અનિલભાઇ અનમ બારદાન વાડી, મોરબી રોડ, ૯૮૨૫૪૫૪૧૬૨ (૪) રાજપાન સેન્ટર, પ્રકાશભાઇ પોપટ માર્કેટિંગ યાર્ડ હુડકો કવાટર કોન્યુનિટી હોલ પાસે, ૯૯૨૪૧૯૫૨૯૫
રાજકોટના સમસ્ત કચ્છી લોહાણા પરીવારે અષાઢી બીજના કચ્છી નવા વર્ષ નિમિતે મહાપ્રસાદ લેવા શ્રી રાજકોટ કચ્છી લોહાણા સમાજ (શ્રી કચ્છી લોહાણા દરિયાસ્થાન, મહાશકિત પાર્ક, મોરબી રોડ, જકાતનાકા પહેલા, રાજકોટ)ની યાદીમાં જણાવાયુ છે.