રાજકોટ
News of Thursday, 30th June 2022

ખોડિયારપરામાં આર્થિક ભીંસથી કંટાળી સુરેશનો ફાંસો ખાઇ આપઘાત

રાજકોટ તા. ૩૦ : કોઠારીયા સોલવન્‍ટ પાસે ખોડિયારપરામાં રહેતા યુવાને ઘરકંકાસથી કંટાળી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા અરેરાટી વ્‍યાપી ગઇ છે.
મળતી વિગત મુજબ ખોડિયારપરા શેરી નં. ૩માં રહેતા સુરેશ કાંધીલાલ અરાવા (ઉ.૨૭) એ પોતાના ઘરે પંખાના હુકમાં દુપટ્ટો બાંધી ગળાફાંસો ખાઇ લીધો હતો. પત્‍ની બહારથી ઘરે આવી ત્‍યારે પતિને લટકતો જોઇ દેકારો મચાવતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા. બાદ કોઇએ ૧૦૮માં જાણ કરતા ૧૦૮ની ટીમે સ્‍થળ પર પહોંચી ઇએમટી નીલેશભાઇ ગોહિલ અને પાઇલોટ નીલેષભાઇ બારડે તપાસ કરતા યુવાનનું મૃત્‍યુ નિપજ્‍યું હોવાનું જણાતા પોલીસને જાણ કરવામાં આવી હતી. જાણ થતાં આજીડેમ પોલીસ મથકના હેડ કોન્‍સ. એમ.ડી.પરમાર સહિતે તપાસ હાથ ધરી હતી. મૃતક મજૂરી કામ કરતો હતો. તેણે આર્થિક ભીંસથી કંટાળી આ પગલુ ભર્યુ હોવાનું ખુલ્‍યું હતું.

 

(3:02 pm IST)