સૌના ઉપર જગન્નાથજીના આશીર્વાદ વરશે તેવી શુભેચ્છાઃ ગોવિંદ પટેલ
રાજકોટ તા. ૩૦: અષાઢી બીજની ભગવાન જગન્નાથજીની રથ યાત્રા શાંતિ પૂર્ણ અને એખલાસ ભર્યા વાતાવરણમાં પુરી થાય તેવી અપીલ ધારાસભ્યશ્રી ગોવિંદ પટેલે કરેલ છે.
શ્રી પટેલે જણાવ્યું છે કે વર્ષોની પરંપરા મુજબ ભગવાન જગન્નાથજી તેના ભાઇ અને બહેનની સાથે દર અષાઢી બીજના દિવસે નગરયાત્રાએ નગરજનોને આશીર્વાદ અપાવા માટે નીકળે છે. ત્યારે સૌ નગરજનો ભગવાનના એ આશીર્વાદ લઇને સુખી સંપન્ન થઇએ. સમગ્ર રાજકોટની જનતાને સુરક્ષા કર્મી.ઓ પોલીસ તંત્રની વ્યવસ્થામાં સાથ અને સહયોગ આપીએ અને રાજકોટ તથા રાજયની શાંતિ અને એખલાસ પૂર્ણ વાતાવરણને જીવંત રાખીએ.શ્રી પટેલે આવતી કાલની અષાઢી બીજની સર્વેને શુભકામના પાઠવી છે. તેમજ રાજય સરકારના રાજકોટના ઘણા વિસ્તારોની અશાંત ધારાની માંગને સ્વીકારવા બદલ રાજય સરકારને પણ અભિનંદન પાઠવેલ છે.