રાજકોટના રેવન્યુ પ્રેકટીશ્નર પી.એમ. પટેલની નવી ઓફિસનો કાલે શુભારંભ
રાજકોટ : રાજકોટ બાર એસો.ના સભ્ય અને રેવન્યુ પ્રેકટીશ્નર એડવોકેટ પી.એમ. પટેલની નવી ઓફિસનો આવતીકાલ તા. ૧-૭-ર૦રર ને શનિવારે અષાઢીબીજના શુભ દિવસે શુભારંભ થવા જઇ રહ્યો છે.
એડવોકેટ પી.એમ. પટેલે ૧૯૯૪માં એડવોકેટની સનદ મેળવ્યા બાદ તુરંત જ રાજકોટના સીનીયર એડવોકેટ જે.ટી. ફળદુ સાથે જોડાયા હતા ત્યાં પાંચ વર્ષ સુધી જુનિયર તરીકે અનુભવ મેળવ્યા બાદ રાજકોટના રેવન્યુ પ્રેકટીશ્નર એન. જે. પટેલ સાથે પણ પ્રેકટીશ કરી રેવન્યુ તેમજ સિવિલ કામમાં બહોળો અનુભવ મેળવી પંચનાથ પ્લોટ સર્વોતમ કોમ્પ. માં હાલ પોતાની ઓફિસ કાર્યરત છે.
એડવોકેટ પી.એમ. પટેલે રેવન્યુ તેમજ સિવિલ કેસોમાં મહત્વના ચુકાદાઓ મેળવી પોતાના અસીલોને ન્યાય અપાવ્યો છે. ર૦૧૦ થી તેઓને નોટરીનું લાયસન્સ પણ મળતા હાલ રેવન્યુ સિવિલ તેમજ નોટરીની કામગીરી સફળતા પૂર્વક કરી રહ્યા છે.
એડવોકેટ પી.એમ. પટેલ તેમની નવી ઓફિસ ''શાંતિ આર્કેડ'' ર૧૦ બીજો માળ શાંતિ હોસ્પિટલ પાસે સાધુ વાસવાણી તેમજ યુનિ. રોડ કોર્નર પાસેના ઉદ્ઘાટન પ્રસંગે સવારે ૯-૩૦ થી ૧-૦૦ સુધી ઉપસ્થિત રહી પ્રોત્સાહિત કરવા સગા-સંબંધી એડવોકેટ મિત્રોને નિમંત્રણ પાઠવ્યું છે.
આ ઉદઘાટન પ્રસંગે એડ. પટેલને શુભેચ્છકો તરફથી તેમના મો. નં. ૯૮ર૪ર રરપ૧૮ ઉપર શુભેચ્છા મળી રહી છે.