રાજકોટ
News of Thursday, 30th June 2022

કાઠીયાવાડ બાલાશ્રમના પારણામાં ૩ દિ'ની બાળકી ત્‍યજી દેવાઇ

તબિયત બગડતાં સારવાર માટે ખસેડાઇ

રાજકોટ તા. ૩૦: ગોંડલ રોડ પર આવેલા કાઠીયાવાડ બાલાશ્રમના પારણામાં ગત સાંજે પોણા સાતેક વાગ્‍યે કોઇ નવજાત બાળકીને ત્‍યજી જતાં બાળકીની તબિયત બગડતાં સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાતાં કે. ટી. ચિલ્‍ડ્રન વિભાગમાં દાખલ કરવામાં આવી છે. ત્રણ દિવસની વય ધરાવતી બાળાને કે. ટી. ચિલ્‍ડ્રન વિભાગમાં દાખલ કરવામાં આવતાં તબિબે પોલીસ કેસ જાહેર કરતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે ભક્‍તિનગર પોલીસને જાણ કરતાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

(4:24 pm IST)