News of Saturday, 30th April 2022
આજે શનિશ્વરી અમાસ : હે શનિદેવ સૌનુ કલ્યાણ કરજો : મંદિરોમાં પૂજા-પ્રાર્થના
રાજકોટ : આજે શનિશ્વરી અમાસ હોય શનિદેવના મંદિરોમાં સવારથી જ ભાવિક ભકતોની કતારો લાગી હતી. શહેરના જયુબેલી બાગ મંદિર તેમજ અન્ય સ્થળોએ આવેલ શનિદેવતાના મંદિરોમાં આજે શનિશ્વરી અમાસ નિમિતે વિશેષ પૂજા-આરતીના આયોજનો થયા છે. શનિદેવના જન્મસ્થાન પોરબંદર પાસેના હાથલા ગામે પણ આજે ભાવિકો ઉમટી પડતા મેળાવી માહોલ જામ્યો છે. તસ્વીરમાં રાજકોટમાં શનિદેવના મંદિરોમાં થઇ રહેલ પૂજા પાઠના દ્રશ્યો નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)
(11:32 am IST)