News of Saturday, 30th April 2022
૧૧મીએ કેજરીવાલ રાજકોટમાં: જાહેર સભાને સંબોધશેઃ બે દિવસ ઢગલાબંધ કાર્યક્રમો
દિલ્હીના મુખ્યમંત્રી શ્રી કેજરીવાલ આગામી તા.૧૧ મેના રાજકોટ આવી રહ્યાનું જાણવા મળે છે. તેઓ દિલ્હીથી સવારની અથવા સાંજની ફલાઈટમાં રાજકોટ આવશે. આમ આદમી પાર્ટીના રાજકોટના કાર્યકરો દ્વારા જાહેર સભા કાર્યકરો અને જાહેર જનતા સાથે વાર્તાલાપ પણ કરે તેવી શકયતા છે. તેઓ બે દિવસ રાજકોટમાં રોકાણ કરશે અને આ દરમિયાન ઢગલાબંધ કાર્યક્રમોના આયોજનો થયા છે. કેજરીવાલ રાજકોટ આવી રહ્યા હોય આ નિમિતે તા.૨ના સોમવારે ‘આપ'ના રાજકોટ શહેરના હોદ્દેદારો દ્વારા તેઓના કાર્યક્રમની સંપૂર્ણપણે વિગતો આપવા માટે એક પત્રકાર પરિષદનું પણ આયોજન કરવામાં આવે તેમ જાણવા મળે છે.
(11:30 am IST)