રાજકોટ
News of Tuesday, 29th November 2022

સાંજે PDM કોલેજ સામેના મેદાનમાં યોજવામાં આવેલ સ્નેહમિલન કાર્યક્રમ રદ્દ કરાયોઃ કોંગ્રેસની ફરીયાદ

સાંજે પ વાગ્યે જાહેર પ્રચાર બંધ થાય છેઃ કોંગ્રેસના જીજ્ઞેસ જોષીએ ફરીયાદ કરી : શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ રાજકોટના નામથી યોજાયેલ કાર્યક્રમ ભાજપના ઉમેદવાર રમેશભાઇના સમર્થનમાં યોજાયો છે

રાજકોટ તા. ર૯ : ગુજરાત પ્રદેશ કોંગ્રેસ લીગલ સેલના કન્વીનર અને એડવોકેટ જીજ્ઞેશ એમ.જોષીએ રાજકોટ - ૭૦-બેઠકના ચૂંટણી અધિકારીને ફરીયાદ અરજી પાઠવી ચૂંટણી આદેશ આચારસંહિતા નિયમનો ભંગ થતો અટકાવવા માંગણી કરી છે.

ફરીયાદમાં જણાવ્યું છે કે, આગામી તા.૧/૧ર/રર ના રોજ ચૂંટણીનું મતદાન થવાનું છે ત્યારે આજે સાંજે પ કલાકથી તમામ પ્રકારની જાહેર મીટીંગ / સભાઓ પર ચૂંટણી આદર્શ આચારસંહિતાના નિયમો મુજબ પ્રતિબંધ લાગુ થાય છ.ે આજરોજ સાંજે ૬ કલાકે શ્રી ગુર્જર સુતાર જ્ઞાતી રાજકોટના નામથી સ્નેહ મિલન કાર્યક્રમ તા. ર૯/૧૧/ર૦રર મંગળવારે પી.ડી.માલવીયા કોલેજ સામેના મેદાન રાજકોટ ખાત ેભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રમેશ ટીલારાના સમર્થનમાં  યોજવામાં આવેલ છે. જેની પત્રીકા આ અરજી સાથે સામેલ છે. અને આ કાર્યક્રમ ભાજપના (બીજેપી)ના સમર્થનમાં યોજાય છે તેવી વાતચીતનો વ્હોટસઅપ સ્કીનશોટ પણ આ અરજી સાથે સામેલ છે.

વિનંતી છે કે, આજરોજ સાંજે પ કલાકે પછીની કોઇપણ મીટીંગ કાયદાકિય દૃષ્ટિએ ગરકાયદેસર હોવાથી આ પ્રકારની મીટીંગ ન થવા દેવા વિનંતી છે.

(4:27 pm IST)