રાજકોટ
News of Thursday, 29th October 2020

કાલે ઇદે મિલાદ નિમિતે ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિરે સૂફી સંગીત-સંધ્યા ધ્યાન, કુરાની વાની પ્રવચન

સરકારી નિયમ આધીન કાર્યક્રમ યોજાશે

રાજકોટ : સપુંબ્ધ રહસ્યદર્શી સદ્ગુરૂ ઓશોના સુત્ર ઉત્સવ આપાર નીતિ આનંદ આધાર ગોત્રે ને સાર્થક કરતા વિવિધ કાર્યક્રમો જેવા કે ઓશો ધ્યાન શિબીરો ઓશો સાહિત્ય પ્રદર્શનો, ઓશો સન્યાસ ઉત્સવ, ભકત-કિર્તન, ગીત-સંગીત, વિવિધ સંપ્રદાયોમાં ઉત્સવો, વિશ્વ દિવસ વગેરે રાજકોટમાં ચોવીસ કલાક ઓશો કાર્યથી ધમધમતુ વિશ્વનું એક માત્ર ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર પર  છેલ્લા ૩પ વર્ષથી અવાર નવાર ઉત્સવો ઉજવવામાં આવે છે.

આવતીકાલે તા. ૩૦ ના શુક્રવારના રોજ ઇદે મિલાદ નિમિતે સાંજના ૬.૪પ થી ૭.૪પ દરમ્યાન સુફી સંગીત સંધ્યા ધ્યાન તથા કુરાન વાનીના કાર્યક્રમનું આયોજન સરકારી નિતી-નિયામો ને આધિન કરવામાં આવ્યું છે.

કાર્યક્રમમાં સહભાગી થનારે આધાર કાર્ડની ઝેરોક્ષ લાવવાની રહેશે. માસ્ક કમ્પલસરી તથા સનેટરાઇઝ કરીને પ્રવેશ આપવામાં  આવશે.

સ્થળ :- ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર, ગોંડલ રોડ, વિવેકાનંદ ઓવરબ્રિજ પાસે, ૪ વૈદવાડી, ડી-માર્ટની પાછળની શેરી રાજકોટ

વિશેષ માહિતી સ્વામી સત્ય પ્રકાશઃ મો. ૯૪ર૭ર પ૪ર૭૬, સંજીવ રાઠોડ મો. ૯૮ર૪૮ ૮૬૦૭૦

(3:32 pm IST)