News of Thursday, 29th October 2020
કલેકટર-કચેરીમાં ત્રણ દિ' રજા હોય રાષ્ટ્રીય એકતા દિવસના બે દિવસ વહેલા શપથ લેતા અધિકારીઓ
રાજકોટ : કલેકટર કચેરીમાં કાલથી ત્રણ દિવસ રજા રહેશે, પરીણામે રાષ્ટ્રીય એકતા દિવસ સંદર્ભે આજે બે દિવસ વહેલા શપથ કલેકટર-એડી. કલેકટર અને તમામ મહેસુલી કર્મચારીઓએ પ્રથમ માળે લોબીમાં લીધા હતાં. હું સત્યનિષ્ઠા સાથે શપથ લઉં છું કે હું રાષ્ટ્રની એકતા, અખંડતા અને સુરક્ષા જાળવી રાખવા માટે સ્વયંને સમર્પિત કરીશ અને મારા દેશવાસીઓમાં પણ આ સંદેશ ફેલાવવાનો પુરો પ્રયત્ન કરીશ. હું આ શપથ મારા દેશની એકતાની ભાવનાથી લઇ રહયો છું જે સરદાર વલ્લભભાઇ પટેલની દૂરંદેશી અને કાર્યો થકી સંભવ બની છે. હું મારા દેશની આંતરિક સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે મારું પોતાનું યોગદાન આપવા માટે પણ સત્યનિષ્ઠા સાથે શપથ લઉં છું.
(3:32 pm IST)