શનિવારે સાંજે ચૈતન્ય ક્રિયા ધ્યાન પ્રયોગ
કૈવલ્ય સેન્ટર ઓફ પ્રાણિક હિલીંગ દ્વારા હોટલ હાર્મેય ખાતે આયોજન
રાજકોટ, તા. ૨૯ : મહામારી સમયમાં વૈકલ્પિક ચિકિત્સા પદ્ધતિના ખૂબ સારા પરિણામો મળ્યા છે. પ્રાણીક હિલીંગના પ્રયોગો બાદ રાજકોટના કૈવલ્ય સેન્ટર ઓફ પ્રાણીક હીલીંગ દ્વારા વિશેષ ધ્યાન પ્રયોગનું આયોજન કરાયુ છે.
આગામી તા.૩૧ના શનિવારે સાંજે ૪ થી ૬ વાગ્યા દરમિયાન ચૈતન્ય ક્રિયા ધ્યાનનો પ્રયોગ થશે. રાજકોટના લીમડા ચોકમાં હોટલ હાર્મેય ખાતે આ દિવ્ય પ્રયોગનું આયોજન કરવામાં આવ્યુ છે.
ચૈતન્ય ક્રિયા ધ્યાન પાવરફુલ મેડીટેશન પ્રયોગ છે. મહામારી સમયે ઓરા સ્ટ્રોંગ બનાવે અને તનાવ મુકત પ્રસન્ન સ્વાસ્થ્ય માટે આ પ્રયોગને શ્રેષ્ઠ ગણવામાં આવે છે. ચૈતન્ય ક્રિયા ધ્યાન પ્રયોગમાં એન્ટ્રી - ફ્રી રૂ.૧૦૦ રાખવામાં આવી છે. વધારે વિગતો માટે મો.૯૦૩૩૫ ૨૯૯૬૦નો સંપર્ક થઈ શકે છે.
આ ફ્રેશ ઉર્જાના પ્રયોગો છે. દર્દીની ઉપસ્થિતી અનિવાર્ય નથી. નામ-ઉંમર-ફોટો-લોકેશન વગેરે જાણીને દર્દી સુધી ઉર્જા પહોંચાડી શકાય છે. રાજકોટમાં બેસીને વિશ્વના કોઇપણ ખૂણે આ પ્રયોગ શકય છે.
નીલાબેન કહે છે કે, અમે ડોકટર નથી, કોરોના અંગે નિદાન ન કરી શકીએ, પરંતુ દર્દીને જોતા ઇન્ફેકશન અંગેનો ખ્યાલ આવી શકે છે. નીલાબેનનો સંપર્ક મો. ૯૮૨૫૧ ૯૫૭૫૪, રિદ્ધિ ત્રિવેદી - મો. ૯૬૬૨૦૪૭૫૨૨, રૂતુલ - મો. ૯૦૩૩૫ ૨૯૯૬૦, બીરૂ - મો. ૯૯૧૩૫ ૪૧૨૨૬ પર થઇ શકે છે.