રાજકોટ
News of Thursday, 29th October 2020

કાળી ચૌદશે વિજ્ઞાન જાથા દ્વારા રાજયભરમાં ગેરમાન્યતાને તિલાંજલી આપતા કાર્યક્રમો

રાજકોટ : આગામી તા. ૧૩ નવેમ્બરે કાળી ચૌદશ છે : આપણે ત્યાં સદીઓથી આ દિવસે મેલીવિદ્યા, ક્રિયાકાંડ, ભૂત-પ્રેતની સાધના, કકળાટના વડા, સ્મશાનમાં વિધિ વિધાન કરવાની ગેરમાન્યતાઓ પ્રસરેલી છે : ત્યારે ભારત જન વિજ્ઞાન જાથા દ્વારા દર વર્ષની માફક આ વર્ષે પણ આવી ગેરમાન્યતાઓ સામે જનજાગૃતિના કાર્યક્રમો રાજયભરમાં યોજવા આયોજન થયુ છે : જાથાના રાજય ચેરમેન એડવોકેટ જયંત પંડયાના જણાવ્યા મુજબ તા.૧૩ ના રાત્રે ૧૨ વાગ્યા આસપાસ અનુકુળતા મુજબ એક કલાક માટે સ્મશાનમાં સંયમપૂર્વક કાળી ચૌદશની ગેરમાન્યતાનો ખંડન કાર્યક્રમ અપાશે : આ અભિયાનમાં વ્યકિત, સંસ્થા, મંડળ, ગ્રુપ કોઇપણ અનુકુળતા મુજબ જોડાઇ શકશે : વધુ માહીતી માટે મો.૯૮૨૫૨ ૧૬૬૮૯ અથવા મો.૯૦૮૧૮ ૧૬૬૮૯ ઉપર સંપર્ક કરી શકાશે.

(11:28 am IST)