બીગબીના અવાજની ટેલેન્ટથી એકસમયે સુદેશ ભોંસલે પરેશાન થઇ ગયેલા..!
સુદેશ ભોંસલે બોલિવૂડના ફેમસ સિંગર હોવા ઉપરાંત ઘણા કલાકારોના ‘વોઈસ'પણ લાજવાબ કાઢી શકે છે. તેઓ અમિતાભ બચ્ચનના અવાજની અદભૂત નકલ કરે છે. તેમણે બિગ બીનું ગીત ‘જુમ્મા ચુમ્મા'ગાયું જે ખુબજ ફેમશ બન્યું. પણ શું તમે જાણો છો આ અવાજથી એક સમયે તેઓ ખૂબ જ પરેશાન હતા!
બોલિવૂડ પ્લેબેક સિંગર અને મિમિક્રી આર્ટિસ્ટ સુદેશ ભોંસલેને કોઈ ઓળખની જરૂર નથી. તે ‘મલ્ટિ ટેલેન્ટ'નો ખજાનો છે. તેમણે માત્ર ઘણા ગીતો જ ગાયા નથી, પરંતુ તે અમિતાભ બચ્ચનથી લઈને અનિલ કપૂર સુધીનો અવાજ પણ બની ચૂક્યા છે. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે તેની આ પ્રતિભા તેના માટે એક સમયે ડિપ્રેશનનું કારણ બની ગઈ હતી. તેમના જીવનમાં એક એવો સમય પણ આવ્યો જયારે તેમને આ ‘ટેલેન્ટ'ના કારણે ઘણા રિજેક્શનનો સામનો કરવો પડ્યો હતો.! આવું કેમ થયું?
સુદેશ ભોંસલે બોલિવૂડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચનની ખૂબ જ સારી મિમિક્રી કરે છે. તેમણે ઘણી ફિલ્મોમાં બિગ બી માટે ગીતો પણ ગાયા છે. તેનું ગીત ‘જુમ્મા ચુમ્મા દે દે'પણ સુદેશજીએ ગાયું હતું અને આ ગીત આજે પણ સુપરહિટ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જયારે સુદેશ ભોંસલેનું ગીત ‘જુમ્મા ચુમ્મા'સુપરહિટ થયું ત્યારે તેમને માત્ર અમિતાભ બચ્ચનના અવાજમાં જ કામ કરવાની ઓફર મળતી હતી. તે બીજા ઘણા સિલેબલના અવાજોનું અનુકરણ કરતા હતા પરંતુ કોઈને તેનામાં રસ નહોતો. આ જ કારણ હતું કે તેમને ઘણી વખત રિજેક્શનનો સામનો કરવો પડ્યો હતો.
૧૯૯૧માં રિલીઝ થયેલી ‘હમ' ના ગીત ‘જુમ્મા ચુમ્મા દે દે' સિવાય સુદેશજીએ અમિતાભ બચ્ચન માટે ‘બાગબાન' નું ‘મેરી મખ્ના મેરી સોનીયે' પણ ગાયું હતું. અમિતાભ સિવાય સુદેશ ભોંસલે અશોક કુમારના અવાજની ખૂબ જ સારી નકલ કરતા હતા. તેણે વિનોદ ખન્ના, સંજય દત્ત, સંજીવ કુમાર, અનિલ કપૂર, સંજીવ કુમાર અને મિથુન ચક્રવર્તીની પણ નકલ કરી છે. તમને જાણીને નવાઈ લાગશે કે જયારે સંજીવ કુમારનું અવસાન થયું ત્યારે સુદેશજીએ તેની ફિલ્મ ‘પ્રોફેસર કી પડોસન'નું ડબિંગ પૂરું કર્યું હતું. સુદેશ ભોંસલે નિર્માતા પણ છે અને તેમણે ‘કે ફોર કિશોર'શોને જજ પણ કર્યો છે. તે એક ગાયન સ્પર્ધા હતી, જે સોની ટીવી પર પ્રસારિત કરવામાં આવી હતી. સંગીત ઉદ્યોગમાં તેમના યોગદાન માટે સુદેશજીને મધર ટેરેસા મિલેનિયમ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. આ સિવાય પણ તેમને ઘણા એવોર્ડ આપવામાં આવ્યા છે.
તો આવા વર્સેટાઇલ ગાયક સુદેશ ભોંસલે ના કંઠે લાજવાબ ગીતોને માણવા રાજકોટવાસીઓ તૈયાર છો ને? આ અને આવા અવિસ્મરણીય કાર્યક્રમોની વણજારમાં કપલ અને ગ્રૂપ સાથે સભ્ય બનવા ‘તાલ તરંગ ગ્રૂપ' ભારતીબેન નાયક નો (મો. ૯૮૯૨૬ ૨૫૭૬૮) તુરતજ સંપર્ક કરી શકો છો. (૨૧.૪૦)
દોઢ દાયકાનો અનુભવ:ઓલ બોલીવુડ ઇવેન્ટના ભારતી નાયક દ્વારા તમામ પ્રકારના મ્યુઝીકલ શો
અને ઇવેન્ટસનું આયોજન:અચૂક લાભ લ્યો
બર્થ ડે પાર્ટીઝ, ગુજરાતી ગીતોની રમઝટ, દાંડિયા રાસ, ટ્રેડીશનલ વેડીંગ સોન્ગસ, લગ્ન - સગાઇ સહિતના પ્રસંગોએ સંગીત સંધ્યા, ઇન્ડીયન કલાસીકલ સોંગ્સ, ગઝલ, એવોર્ડ ફંકશનો, ફંડ રેઇઝીંગ શોઝ,
તમામ પ્રકારના મ્યુઝીકલ શો
સંપર્ક : ભારતી નાયક :
૯૮૯૨૬ ૨૫૭૬૮ / ૮૨૦૦૨ ૯૨૧૯૭