મિત્રને ઘરે આવવાનો મેસેજ કર્યા બાદ જીઆઇએસએફના કર્મચારીનો આપઘાત
કોઠારીયાનો બનાવઃ દિપકભાઇ જલુએ ફાંસો ખાઇ લીધોઃ આઠેક દિવસથી કલેક્ટર કચેરીએ નોકરીમાં આવતાં નહોતાં
રાજકોટ તા. ૨૬: કોઠારીયા ગામ ગદાધર સોસાયટીમાં રહેતાં અને જીઆઇએસએફમાં નોકરી કરતાં દિપકભાઇ જગમાલભાઇ જલુ (ઉ.૩૩) નામના યુવાને ઘરે ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે.
દિપકભાઇએ પોતાના મિત્ર કોૈશિકભાઇ ગોહેલને મેસેજ કરી પોતાના ઘરે આવવાનું કહ્યું હતું. મિત્ર ત્યાં પહોંચતાં દિપકભાઇ લટકતા જોવા મળ્યા હતાં. આજીડેમ પોલીસને જાણ થતાં હેડકોન્સ. મહેન્દ્રભાઇ પરમારે જરૂરી કાર્યવાહી કરી હતી. આપઘાત કરનાર દિપકભાઇ બે ભાઇમાં નાના હતાં. સંતાનમાં એક દિકરી છે. તેઓ મુળ કેશોદના અજાબના વતની હતાં. તેના માતા-પિતા સહિતના પરિવારજનો ત્યાં રહે છે. તેમની નોકરી રાજકોટ કલેક્ટર કચેરી ખાતે હોઇ તે રાજકોટ રહેતાં હતાં. જો કે આઠેક દિવસથી નોકરી પર ગયા ન હોવાનું ખુલ્યું હતું. વારંવાર થતી બદલીથી તેઓ કંટાળી ગયાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું હતું.