કનૈયા ગ્રુપના સ્વયં સેવકોનું સન્માન
રાજકોટઃ કનૈયા ગ્રુપ દ્વારા ગોકુલ ધામ સોસાયટી પાસે આયોજીત ગણેશ ઉત્સવમાં દરરોજ મોટી સંખ્યામાં ભાવિકોએ દર્શન આરતીનો લાભ લીધો હતો.
ડાલી બાઈ કન્યા વિદ્યાલયની હોસ્ટેલની ૫૦ બાળાઓને પ્રસાદ તેમજ મહા આરતી કરાવેલ. પોલીસ કમિશનર દ્વારા રાજુ ભાર્ગવ કનૈયા ગ્રુપને શિલ્ડ આપી પ્રમાણપત્ર રોકડ પુરસ્કાર આપી સન્માનિત કર્યા. અગાઉ પણ પૂર્વ પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત સન્માનિત કરેલ.
ઉલ્લેખનિય છે કે કનૈયા ગ્રુપ આયોજિત. કોઈ મંડળ નથી. કોઈ ટ્રસ્ટ નથી. કોઈ ફંડ ફાળો સ્વીકારતા નથી. ઉપરોકત ઉત્સવમાં છેલ્લા ૧૬ વર્ષથી. નિસ્વાર્થ ભાવે. કાર્યકર્તાઓ સેવા આપી રહ્યા છે.
ઉપરોકત તસ્વીરમાં અકિલા પરિવારના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા સાથે કનૈયા ગ્રુપના આગેવાનો સર્વશ્રી જગદીશભાઈ ટોળીયા મો.૮૦૦૦૧ ૮૦૦૦૧, શિવા ભાઈ ટોળીયા મો.૮૦૦૦૧ ૧૦૦૦૮, ધર્મેશભાઈ પાબારી મો.૮૧૪૦૭ ૪૦૭૪૦, વિજયભાઈ જોલાપરા, મનોજભાઈ ભટ્ટી મો.૯૯૭૮૨ ૫૬૧૬૭, ભાઈલાલભાઈ નસિત, પ્રવીણભાઈ સોલંકી, કલ્પેશભાઈ પડાયા, વિમલભાઈ વાળા, રાજુભાઈ વાળા, સંજયભાઈ ગોહેલ, સંજયભાઈ ખંભાયતા, અશોકભાઈ ગોહેલ, મેહુલભાઈ ભાલાળા, જગદીશભાઈ ચૌહાણ, રમેશભાઈ કકકડ, શૈલેષભાઈ ચાવડા, વિનોદભાઈ ટોળીયા, કૃષ્ણસિંહ ગોહિલ, કિશનભાઇ લુહાર, મુકેશભાઈ મિસ્ત્રી, હર્ષદસિંહ જાડેજા, ભાવિનભાઈ દુલા, સુનિલભાઈ પેથાણી, ડો.નીતિનભાઈ પટેલ, હિતેશભાઈ મકવાણા, ચિંતનભાઈ હિંડોચા,, વિનોદભાઈ પિત્રોડા, મનોજભાઈ મિસ્ત્રી, બકુલ રૂપાણી, તેજસભાઈ ખખર, ભવ્ય પટેલ નજરે પડે છે.
લંડનથી કમલાબેનની સેવા
છેલ્લા દસ વર્ષથી કનૈયા ગ્રુપ આયોજિત ગણેશ ઉત્સવમાં કમલાબેન કોટર સેવા આપી રહ્યા છે. તેઓ લંડનથી સ્પેશિયલ ગણેશ ઉત્સવમાં દસ દિવસ રોકાઈને સેવા આપે છે. તેઓ શાકભાજી સુધારવાથી માંડીને બાળકોને પ્રસાદી પીરસવાની અવિરત સેવા કરતા હોય છે.