રાજકોટ
News of Wednesday, 25th May 2022

સુથાર આધેડ ભરતભાઇ દુધૈયા ભુલથી પાણીને બદલે એસિડ પી જતાં જીવ ગયો

પરા પીપળીયાના પાટીયા પાસે નંદન સોસાયટીમાં બનાવ

રાજકોટ તા. ૨૫: જામનગર રોડ પર પરા પીપળીયાના પાટીયા પાસે આવેલી નંદન સોસાયટીમાં રહેતાં ગુર્જર સુથાર ભરતભાઇ કલ્‍યાણજીભાઇ દુધૈયા (ઉ.૪૫)એ રાતે એસિડ પી લેતા મોત નિપજતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

ભરતભાઇ રાતે સાડા નવેક વાગ્‍યે એસિડ પી જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ મોડી રાતે દમ તોડી દેતાં હોસ્‍પિટલ ચોકીના જુગલભાઇએ યુનિવર્સિટી પોલીસને જાણ કરી હતી. મૃત્‍યુ પામનાર ભરતભાઇ પાંચ ભાઇમાં વચેટ હતાં અને ડ્રાઇવીંગ કરતાં હતાં. તેમેને સંતાનમાં એક પુત્રી અને બે પુત્ર છે. સ્‍વજનના કહેવા મુજબ ભરતભાઇને ડ્રીંકની આદત હતી. રાતે ઘરે આવ્‍યા ત્‍યારે પાણી પીવાને બદલે એસિડ ભરેલી બોટલ હતી તેમાંથી ગ્‍લાસમાં એસિડ કાઢી પી ગયા હતાં. સારવાર માટે ખસેડાયા હતાં. પરંતુ જીવ બચી શક્‍યો નહોતો. પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.

(5:02 pm IST)