જિલ્લા ભાજપ દ્વારા ડો. શ્યામાપ્રસાદજીને ભાવવંદના
રાજકોટ : ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલની સૂચના અનુસાર ડો.શ્યામાપ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ નિમિત્તે પુણ્ય સ્મરણ અને શ્રદ્ધાંજલિ કાર્યક્રમ રાજકોટ જિલ્લા ભાજપ અધ્યક્ષ મનસુખભાઇ ખાચરિયાના અધ્યક્ષ સ્થાને સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ ખાતે યોજાયો હતો. આ સ્મરણ કાર્યક્રમના મુખ્ય વકતા ગુજરાત પ્રદેશ ભાજપ અગ્રણી અને પૂર્વ ધારાસભ્ય ભરતભાઇ બારોટ વિશેષ ઉપસ્થિત રહયા હતા તેમજ જિલ્લા ભાજપના સંગઠન પ્રભારી રક્ષાબેન બોળીયા, જીલ્લા ભાજપ મહામંત્રી મનસુખભાઈ રામાણી, મહામંત્રી મનીષભાઈ ચાંગેલા, પ્રદેશ કારોબારી સભ્ય દિનેશભાઈ અમળતિયા, જીલ્લા ઉપપ્રમુખ તળશીભાઈ તાલપરા, નરોત્તમભાઈ પરમાર, જીલ્લા મંત્રી અલ્પેશભાઈ ઢોલરીયા, પ્રાગજીભાઈ કાકડિયા, રાજકોટ યાર્ડના ચેરમેન જયેશભાઈ બોઘરા, જીલ્લા યુવા મોરચા પ્રમુખ સતીશભાઈ શિંગાળા, મહિલા મોરચા પ્રમુખ સીમાબેન જોશી, કિસાન મોરચા પ્રમુખ કમલેશભાઈ રોકડ, બક્ષીપંચ મોરચા પ્રમુખ હરેશભાઈ હેરભા, અનુ.જાતી મોરચા પ્રમુખ મનોજભાઈ રાઠોડ, જીલ્લા પંચાયત ઉપપ્રમુખ સવિતાબેન નાથાભાઈ વાસાણી, જી.પંચાયત સભ્ય મોહનભાઈ દાફડા, ધર્મેન્દ્રભાઈ ટીલાળા, રાજેશભાઈ ચાવડા, ગણપતસિંહ જાડેજા, તાલુકા પ્રમુખઓ બાબુભાઈ નસીત, પ્રવીણભાઈ હેરમા, જસમતભાઈ સાંગાણી, મુકેશભાઈ કમાણી, અરુણભાઈ નિર્મળ, કિશોરભાઈ ડોડીયા, ડો.દીપકભાઈ પીપળીયા, ભાસ્કરભાઈ જસાણી તેમજ જીલ્લા ભાજપના આગેવાનો, જીલ્લા પંચાયત, તાલુકા પંચાયત તેમજ નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો, તમામ મોરચાના પ્રમુખ, મહામંત્રીઓ, મંડલના પ્રમુખ-મહામંત્રીઓ સહીતના તાલુકામાંથી બહોળી સંખ્યામાં હોદેદારો તથા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમનું સંચાલન તેમજ આભારવિધિ જીલ્લા મહામંત્રીશ્રી મનસુખભાઇ રામાણીએ કર્યુ હતું. આ કાર્યક્રમની વ્યવસ્થા જીલ્લા ભાજપ કાર્યાલય મંત્રી અલ્પેશભાઇ અગ્રાવત, સહ-કાર્યાલય મંત્રી વિવેક સાતા, કિશોર ચાવડા કનકસિંહ ઝાલા, દિનેશભાઇ વીરડા, સાગર ડાભી સહિતના સંભાળી હતી. તેમ જિલ્લા ભાજપ પ્રેસ-મીડિયા ઇન્ચાર્જ અરૂણભાઇ નિર્મળ અને કિશોરભાઇ ડોડીયાની યાદીમાં જણાવાયું છે.