સ્પાઇસ જેટનું મીસ મેનેજમેન્ટઃ રાત્રે રાજકોટથી દિલ્હી જતી ફલાઇટ અટવાઇઃ મુસાફરો રાત્રે ૧ર સુધી રઝળ્યા
મુસાફરો કહે છે ટેકનીકલ ખામીઃ સ્પાઇસ જેટના બહાના મુસાફરો-સામાન વધી ગયાઃ દિલ્હીમાં વાતાવરણ ખરાબ : મુસાફરો રન-વે ઉપર ભૂખ હડતાલની જેમ બેસી ગયાઃ આખરે રાત્રે ૧ર વાગ્યા બાદ ફલાઇટ રવાના
રાજકોટ, તા., ૨૪: રાજકોટ એરપોર્ટ પર ગઇરાત્રે ૮ વાગ્યે રાજકોટથી દિલ્હી જતી સ્પાઇસ જેટની ફલાઇટ મુસાફરો-સામાન વધી ગયાનું બહાનુ ધરી તથા ત્યાર બાદ દિલ્હીનું વાતાવરણ ખરાબ હોવાનું બહાનુ ધરી રાજકોટ જ સ્પાઇસ જેટે અટકાવી દેતા મુસાફરોમાં મોડી રાત સુધી હોબાળો મચી ગયો હતો. અંદાજે ૯૦ થી ૧૦૦ જેટલા મુસાફરો રાત્રે ૧ વાગ્યા સુધી રઝળી પડયા હતા.
સ્પાઇસ જેટના મીસ મેનેજમેન્ટના કારણે ૯૦ જેટલા પ્રવાસીઓ હેરાન-પરેશાન થઇ ગયા હતા. મુસાફરો રનવે પર જાણે ભુખ હડતાલ ઉપર બેઠા હોય તેવો તાલ સર્જાયો હતો. પ્રવાસીઓ રન-વે પર બેસવા મજબુર બન્યા હતા. ખાવા પીવાની પણ કોઇ વ્યવસ્થા ન કરાતા દેકારો મચી ગયો હતો.
અમુક મુસાફરોએ જણાવેલ કે વિમાનમાં ટેકનીકલ ખામીને કારણે ફલાઇટ અટવાઇ તો સ્પાઇસ જેટના સતાવાળાઓએ પહેલા વધુ સામાન-મુસાફરો વી ધગયાનું અને બાઇમાં દિલ્હીમાં વાતાવરણ ખરાબ હોવાનું બહાનુ ધર્યુ હતું.
દરમીયાન આજે સવારે મળતા સતાવાર અહેવાલો મુજબ રાત્રે ૧૨ વાગ્યે આ ફલાઇટ દિલ્હી જવા રવાના થઇ હતી. ઘટના અંગે મુસાફરોમાં ભારે ટીકા થઇ રહી છે