રાજકોટ
News of Friday, 23rd July 2021

સાંઢિયા પુલ-અરવિંદભાઇ મણિયાર હોલની મુલાકાત લેતા મ્યુ.કમિશ્નર

રાજકોટઃ મહાનગરપાલિકાના કમિશનર અમિત અરોરાએ આજે જામનગર રોડ પરનો સાંઢિયા પુલ, જયુબિલી ગાર્ડન,  અરવિંદભાઈ મણીયાર હોલની મુલાકાત કરી હતી. આજની સાઈટ વિઝિટ દરમ્યાન મ્યુનિ. કમિશનરએ એરપોર્ટ ફાટક અને જયુબેલી ગાર્ડન ખાતેના ઓર્ગેનિક વેસ્ટ કન્વર્ટર પ્લાન્ટની પણ મુલાકાત કરી હતી અને શાકભાજીના કચરામાંથી ખાતર બનાવવાની પ્રક્રિયા વિશે જાણકારી મેળવી હતી.  મ્યુનિ. કમિશનરની આ સાઈટ વિઝિટ દરમ્યાન નાયબ મ્યુનિ. કમિશનર એ,આર,સિંઘ અને  ચેતન નંદાણી, એડી. સિટી એન્જી.  એચ. એમ. કોટક, ટાઉન પ્લાનિંગ ઓફિસર એમ.ડી. સાગઠીયા, ડાયરેકટર ગાર્ડન્સ એન્ડ પાર્કસ ડો. કે. ડી. હાપલીયા, નાયબ પર્યાવરણ ઇજનેર વલ્લભભાઈ જીંજાળા, ATP  અઢીયા, DEE અમ્બેશ દવે, DEE વાસ્તવ અને પી.એ.(ટેક) ટુ કમિશનર  રસિક રૈયાણી અને એજન્સીના પ્રતિનિધિઓ હાજર રહયા હતાં. 

(4:19 pm IST)