રાજકોટ
News of Friday, 23rd July 2021

રાજકોટ કલેકટર રજા ઉપર : રાજકોટના લોકમેળા અંગે હજુ સુધી કોઈ નિર્ણય નહિં : કોઈ મીટીંગ પણ મળી નથી : સરકારે પણ કોઈ સુચના આપી નથી

રાજકોટના જીલ્લા કલેકટર અરૂણ મહેશ બાબુ આજે એક દિવસની રજા ઉપર ઉતરી ગયા છે : અકિલા સાથેની વાતચીતમાં પોતે હોસ્પિટલ જતા હોવાનું જણાવી લોકમેળા અંગે પોતે હાજર થશે ત્યારે કહેશે તેમ ઉમેર્યુ હતું: દરમિયાન એડીશ્નલ કલેકટર કેતન ઠક્કરે અકિલા સાથેની વાતચીતમાં જણાવેલ કે રાજકોટના લોકમેળા અંગે ૩ દિ' પહેલા જે સ્થિતિ હતી તે જ છે : હાલ કોઈ નિર્ણય લીધો નથી : સરકારની પણ કોઈ સુચના નથી

(3:54 pm IST)